કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ?

આંગણું ભેંકાર છે કોણે કહ્યું ?

.

આ હવાની આવ-જાને રોકવા;

ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ?

.

સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ;

ભીતરે અંધાર છે કોણે કહ્યું ?

.

માર પથ્થર માર તો ફળ આપશે;

ઝાડવું દાતાર છે કોણે કહ્યું ?

.

સાવ ખાલી માર્ગ પર દોડ્યો પવન;

હાથમાં તલવાર છે કોણે કહ્યું !

.

( શ્યામ ઠાકોર )

Share this

5 replies on “કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.