તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ
એવું જો કોઈ મને પૂછે
તો
હું તો વેલ બનવાનું જ પસંદ કરું
કેમ કે,
ફૂલ રાતે ખરી પડે છે
જ્યારે વેલ રાત-દિવસ
લીલીછમ રહી
વહાલપ વરસાવ્યા કરે છે.
ખીલીને ખરવા કરતાં
જો
લીલોતરીનું અવિરત વહાલપ
વેલ બની વીંટળાઈ રહેવામાં
મળતું હોય તો પછી એના પર
ફૂલ ખીલે કે ન ખીલે તેથી શું ?
.
( માણેકલાલ પટેલ )
i liked vahalap by maneklal patel.
i liked vahalap by maneklal patel.
વેલ જેને વળગીને લીલીછમ રહે એ વૃક્ષ હું…
વેલ જેને વળગીને લીલીછમ રહે એ વૃક્ષ હું…