એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે
હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે
.
નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ?
બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે
.
જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ
પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે
.
અહીંયાં શું લાગણી કે, શું પ્રેમ કે, શું મમતા ?
માણસને નામે કેવળ પથ્થરનું આ નગર છે
.
ક્યારે પૂરી થશે કે અટકી જશે અચાનક
પૂછો ન કોઈને આ આંધળી સફર છે
.
( ચંદ્રેશ મકવાણા )
સરસ અભિવ્યક્તિ…
સરસ અભિવ્યક્તિ…
બધા માણસોના નામે પત્થરો નું નગર છે?
બધા માણસોના નામે પત્થરો નું નગર છે?
ચંદ્રેશભાઈની સરસ ગઝલ પોસ્ટ કરી અહીં….
અભિનંદન કવિને.
ચંદ્રેશભાઈની સરસ ગઝલ પોસ્ટ કરી અહીં….
અભિનંદન કવિને.