તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?
જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો,
.
તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ?
જો ના જોવા હોય તો તમે આંધળા છો,
.
તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ?
જો ના કર્યો હોય તો તમે મૂંગા છો,
.
મને ખરેખર અફસોસ છે કે
તમને બોલતાં, સાંભળતાં અને દેખતા કરવા માટે
.
હું કવિતા લખ્યા સિવાય કશું જ કરી શકતો નથી.
.
( ભાવેશ ભટ્ટ )
સુન્દર અભિવ્યક્તિ..
સુન્દર અભિવ્યક્તિ..