પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ

.

પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે

ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે

સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે

દેન છે, મમતાના પાશે બંધાવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે

અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે

જાતને સકળ જગતથી દૂર કરી દે

 .

જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ

તુકાને ઠેકાણે એના સઘળા અણસાર

 .

( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )

 .

[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]

Share this

2 replies on “પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.