.
પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે
ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે
.
પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે
સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે
.
પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે
દેન છે, મમતાના પાશે બંધાવા ના દે
.
પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે
અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે
.
પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે
જાતને સકળ જગતથી દૂર કરી દે
.
જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ
તુકાને ઠેકાણે એના સઘળા અણસાર
.
( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )
.
[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]
સરસ
સરસ