રાતને જ્યારે – સુરેશ દલાલ

.

રાતને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે

એ વાદળની પથારીમાં પડખાં ઘસે છે.

પૃથ્વી એને પારકી લાગે છે

અને આકાશ અજાણ્યું.

 .

પોપચામાં વિચારો પોલાદના ભારની જેમ

એવા પડ્યા છે કે બીડ્યાં બિડાતા નથી.

આંખ મીંચાય તો સ્વપ્નના દ્વાર ખૂલે

પણ ઉજાગરાનો ઓથાર જંપવા દેતો નથી.

 .

કશું જ કામ નથી આવતું. ડૂબી ગયેલો સૂરજ

જાણે કે જનમોજનમનો વેરી હોય એવો.

અને ચંદ્ર તો જિપ્સી – ટિપ્સી થઈને

ક્યાંક નજરની ક્ષિતિજને ઓળંગીને ચાલી ગયો છે.

 .

રાતની જ્યારે માંડ આંખ મળશે ત્યારે સવાર પડી જશે

અને સૂર્ય એના ઉજાગરાનો લાલ રંગ થઈને સળગી ઊઠશે.

 .

( સુરેશ દલાલ )

Share this

5 replies on “રાતને જ્યારે – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.