આઠ લઘુકાવ્યો Apr29 . (૧) જળપરીની વાર્તાઓ અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં એકલવાયું બાળક ઊભું છે ઝાડના ઠૂંઠાને વળગીને. . ( જયા મહેતા ) . (૨) નિંદાથી જીભ મોચવાઈ જતી હોય અને કાન કરમાઈ જતા હોય એવી અવસ્થા જો ઈશ્વરે કરી હોત તો જગત વિશેષ જીવવા લાયક હોત. ( સુરેશ દલાલ ) (૩) મારી ટચલી આંગળી તરણુંય તોળી શકે તેમ નથી ને આ જિંદગી તો ગોવર્ધન થઈ બેઠી છે. ( વજેસિંહ પારગી ) . (૪) હું ગુલાબને સૂર્ય કહું કે ચંદ્રને કમળ કહું એથી નામની અદલાબદલીનો આનંદ મળે છે; પણ એનાથી કોઈની પ્રકૃતિ બદલાતી નથી . ( સુરેશ દલાલ) . (૫) એક (યક્ષ) પ્રશ્ન . જે માણસને ઉઘાડી આંખે ખિલખિલ હસતા બાળકમાં પ્રગટેલા ભગવાન ન દેખાય તે માણસને બંધ આંખે જડ મૂર્તિમાં પોઢેલા ભગવાન દેખાય ખરા ? !…. . ( ચંદ્રેશ શાહ ) . (૬) પ્લાસ્ટિકના ફૂલ પર કાચનું પતંગિયું બેઠું અને એનો ફોટો છાપામાં છપાયો . ( સુરેશ દલાલ ) . (૭) પતંગિયું ઊડે છે ત્યારે હવા પર પોતાની સહી નથી કરતું . ( સુરેશ દલાલ ) . (૮) જળના સ્પર્શે પથ્થરે ચીસ પાડી: આટલી બધી નજાકત જીરવાતી નથી . ( સુરેશ દલાલ )
દરેકે દરેક લઘુકાવ્ય અતિ ઉત્તમ…બહુ જ ગમ્યા બધા. ખાસ કરી ને ૩ નંબર નું.
સુંદર સંકલન…
હિનાબેન,
સુંદર સંકલન કરેલ છે, જેમાં પણ પાંચમી રચના નો યક્ષ પ્રશ્ન વધુ પસંદ આવ્યો …