પંખીઓ વિશે – જયન્ત પાઠક

.

૧.

ખરાં છો તમે !

નહીં કામ, નહીં કાજ

ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો,

-માત્ર ગાવા જ !

 .

૨.

પંખીઓ કવિતા જેવાં છે :

ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું !

 ,

૩.

વૃક્ષો ને ઈમારતો વચ્ચેનો

ભેદ

ભૂલી જવા લાગેલાં

આ પંખીઓ !

.

૪.

આ પંખીઓ

ઊડવાનું બંધ કરી દે

તો શું થાય !

આકાશવાણીનો

સંદેશવ્યવહારનો

આખો કાર્યક્રમ જ રદ થઈ જાય !

 .

૫.

પંખીઓ !

એકાદ દિવસ માટે તો મને

તમારો કંઠ, તમારી પાંખો આપો-

ભાષાથી

તરડાઈ ગયો છે મારો કંઠ

માટીથી

ખરડાઈ ગયા છે મારા પગ.

 .

( જયન્ત પાઠક )

Share this

4 replies on “પંખીઓ વિશે – જયન્ત પાઠક”

  1. ” પંખીઓ,
    એકાદ દિવસ માટે તો મને
    તમારો કંઠ,તમારી પંખો આપો,
    ભાષાથી
    તરડાઈ ગયો છે મારો કંઠ
    માટી થી
    ખરડાઈ ગયા છે મારાં પગ…”

    ખુબજ સુંદર રજૂઆત…

  2. ” પંખીઓ,
    એકાદ દિવસ માટે તો મને
    તમારો કંઠ,તમારી પંખો આપો,
    ભાષાથી
    તરડાઈ ગયો છે મારો કંઠ
    માટી થી
    ખરડાઈ ગયા છે મારાં પગ…”

    ખુબજ સુંદર રજૂઆત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.