(૧)
ને પ્રસુતા વિશ્વ
આખું થરથર્યું,
હાથમાં પિસ્તોલ સાથે
એક બાળક અવતર્યું !
.
(૨)
બરાબર તરતાં આવડે
પછી જ
માણસને
ડૂબી મરવાના
વિચારો આવે છે
.
(૩)
મને અડધી રાત્રે
તડકાની તરસ લાગે છે,
અને
બપોરે
મારામાં અંધકારની
ભૂખ જગે છે.
શું કરું ?
.
(૪)
ચાલી જતી અમાસની
ઝળહળતી પીઠ હું જોતો રહ્યો !
.
(૫)
બૂચનાં ફૂલો
મેં ઉઘડતાં જોયાં છે
કોઈકની બંધ આંખોમાં !
.
( કરસનદાસ લુહાર )