છળકપટથી દૂર રાખે તો જ આવું
વાતને મંજૂર રાખે તો જ આવું
.
પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ?
આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું
.
આવવું છે એટલે તો હું કહું છું
જીવને મજબૂર રાખે તો જ આવું
.
એક બે છાંટા નથી ગમતા કદીયે
લાગણીનું પૂર રાખે તો જ આવું
.
મેં પ્રતીક્ષા ક્યારની પડતી મૂકી છે
મળવું છે, દસ્તુર રાખે તો જ આવું
.
( દિનેશ કાનાણી )
સુંદર ગઝલ….!!
સુંદર ગઝલ….!!
કવિ મિત્ર દિનેશ કાનાણીએ આવવા માટે મૂકેલી બધી જ શરતો અત્યંત ભાવુક અને સજ્જડ દર્શાવી છે…!
-અભિનંદન.
કવિ મિત્ર દિનેશ કાનાણીએ આવવા માટે મૂકેલી બધી જ શરતો અત્યંત ભાવુક અને સજ્જડ દર્શાવી છે…!
-અભિનંદન.