જે ક્ષણે – ગૌરાંગ ઠાકર

જે ક્ષણે પીડા ઘરે આવેશમાં આવી,

અમને લાગ્યું કે ગઝલ ગણવેશમાં આવી.

.

કોઈ પણ રીતે ઉદાસી ગાંઠતી ન્હોતી,

પડતી મૂકી… તો ખુશીના વેશમાં આવી.

.

ઝાડ તો ઊગે, જીવે, બોલ્યા વગર તો પણ,

વાત એની સંતના ઉપદેશમાં આવી.

.

જ્યારથી મેં આદતોની વર્તણૂંક બદલી,

જે વિનંતીઓ હતી આદેશમાં આવી.

.

આ ગમા ને અણગમા કેવળ કહ્યા તમને,

ક્યાં અમારી કોઈ વાત ઉદ્દેશમાં આવી.

.

જ્યાં થયું કે કોઈની હું જિંદગી જીવું,

એ જ મુદ્દે જિંદગી ઝુંબેશમાં આવી.

.

સાવ ખાલી છે છતાં પણ આપવા બેઠો,

લ્યો અમીરાઈ જુઓ દરવેશમાં આવી.

.

( ગૌરાંગ ઠાકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.