તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી

છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો,

હું તો યાદોને નકારીશ, તમે શું કરશો ?

 .

વાંક બન્નેંનો છે, એ વાત બરાબર છે તો,

હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો ?

.

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,

હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો ?

.

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,

હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો ?

 .

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,

રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો ?

.

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,

આયના નીચે ઉતારીશ, તમે શું કરશો ?

.

આંખ ખૂલશે તો ખલીલ આંખને ચોળી ચોળી

રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો ?

.

( ખલીલ ધનતેજવી )

Share this

2 replies on “તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.