એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું,
મેં દીઠું અજવાળું!
.
લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું,
કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું.
મેં દીઠું અજવાળું!
.
નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ,
પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ.
ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,
મેં દીઠું અજવાળું!
.
( દત્તાત્રય ભટ્ટ )
Inspirational and spiritual poem
Inspirational and spiritual poem