પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

હું ઈશ્વરના પવિત્ર સાંનિધ્યમાં તરબોળ છું. મારા અંતરત્માના ઊંડાણથી ઊઠતી પ્રાર્થનાઓ શ્રદ્ધાની પાંખો વડે ઊડી વિશ્વની અંદર તરે છે. કેવા મહા આનંદની વાત છે કે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે એ સંભળાય છે. અને જ્યારે મારી પ્રાર્થનાઓ સંભળાય છે ત્યારે તેના (મને) ઉકેલ મળે જ છે.

 .

હું એકદમ ચિંતામાં, દુ:ખમાં હોઈશ ત્યારે એ યાદ રહેશે કે આવેલા તોફાનની વચ્ચે અપાર શાંતિ છે. આ અનુભવની શાંતિ એ જ ઈશ્વર તારી સંનિધિ છે. મારે ત્યાં જ રહેવું છે.

 .

હું જાણું છું કે ઈશ્વર બધું જ સાંભળે છે, બધું જ જાણે છે, તો હે કૃપાળુ પરમાત્મા, મારા વિચારો તમારા તરફ ગતિમાન થાય એ જ પ્રાર્થના. એને માટે હું તમારી ખૂબ ખૂબ આભારી.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

Share this

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.