મારામાં રહેલી ઈશ્વરીય શક્તિની કૃપાથી હું તાજગી અનુભવું છું. શક્તિશાળી બનું છું અને શુદ્ધ બનું છું.
.
મારાં પગલાં વ્યવસ્થિત છે, સચવાયેલાં છે અને કૃપાપાત્ર છે.
.
હું યોગ્યપાત્ર છું, હું ઉત્કંઠ પાત્ર છું.
.
હું ઈશ્વરના પ્રેમથી આકાર પામેલી છું અને ઘડાયેલી છું.
.
પ્રભુએમને પ્રેમથી સોંપેલાં નિયત કાર્યો માટે હું મારી ચતુરાઈ, જ્ઞાન, શક્તિથી સજ્જ છું.
.
હું શાંતિથી, પ્રેમથી આગળ વધું છું.
.
મારા પોતાના વિશ્વની બધી જ બાબતો અને હરકોઈ પરિસ્થિતિમાં મને પ્રભુએ અઢળક શુભ વસ્તુઓથી કૃપાપાત્ર બનાવી છે.
.
હું હવે પ્રભુના પૂર્ણ આશીર્વાદથી આગળ વધું છું. અને ક્યારેય એ નહીં ભૂલું કે મારું જીવન માતાપિતાની શક્તિથી આકાર પામેલું છે. એ માટે હું તમારી ઋણી છું.
.
( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )