એક નોખું અનોખું પુસ્ત ક : ધી સિવિક કોડ

IMG-20151023-WA0032

‘‘મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, મગર મેરી પીડા સહી હૈ”

લેખક ડો. ગોરા નવીનચંદ્ર ત્રિવેદી એમના પુસ્તરક વિશે લખે છે કે મારી મેઈન સ્ટ્રીલમ બુક ‘ધ સિવિલ કોડ’ માટે છેલ્લા ૨ વર્ષથી મુદ્દા ભેગા કરતી હતી. ૫ લીગલ બુકસ લખી, પછી આર્ટીકલ્સિ-બ્લોમગ-પોસ્ટડની યાત્રા શરૂ થઈ, મજા આવતી ગઈ તેમ લખતી ગઈ. મેં એક વાત નોંધી કે એક મોટો વર્ગ દેશમાં-સમાજમાં બદલાવ ઈચ્છેત છે અને તે માટે પ્રયત્નત કરવા પણ તૈયાર છે, પણ કોણ કરે અને શું કરે તે સવાલ હોય છે મેં આ જ વિષય હાથ પર લીધો. ‘દેશ માટે-સમાજ માટે’ આપણે શું કરી શકીએ.?

આ બુકમાં મેં કોઈના વિચારો-મંતવ્યોલ નથી લીધા, ત્યાં સુધી કે મારા વિશે પણ લખવાનું ટાળ્યું છે, ‘લેખક’ નો પરિચય એટસેટરા… ફકત અને ફકત મુદ્દાની જ વાત. મારો હેતુ હતો કે તમામ ઉંમર-સમજણના લોકો વાંચે. સારો વાચક તો એક જ બેઠકે બુક પૂરી કરી શકે તેમ હોય.

દિવાળી પહેલા લોન્ચ કરવાનું ખાસ કારણ એ છે કે આપણે દિવાળીમાં મિત્રોને, કર્મચારીઓને, અધિકારીઓને, વડીલોને ગીફટ આપવામાં ઘણા કન્ફણયુઝડ હોઈએ છીએ. બુકે, મિઠાઈ, ચોકલેટ્સ‍, રોકડા કે કોઈ પણ ફોર્મલ ટીપીકલ ગીફટ એવા પણ લોકો હોય છે કે જેમને કંઈ પણ દેવુ અઘરું હોય છે. આ વખતે આ બુક લોકોને ગીફટ કરજો. ફકત મારી બુક છે એટલે નહિં. આ વાંચીને દેશ – સમાજમાં લોકો જે સારું ઉમેરી શકે તે આ દેશને-સમાજને દિવાળીની ગીફટ રહેશે.

રાજકોટવાસીઓ રાજેશ બુક સ્ટોંર, લોધાવાડ ચોક, રાજકોટનો સંપર્ક કરી શકે છે. મારા ઘરે ચા પીને બુક લઈ જવાનો વિકલ્પુ છે જ. બાકીના તમામ મિત્રો આ પુસ્તજક માટે (+૯૧) ૭૪૦૫૪૭૯૬૭૮ નો સંપર્ક કરવા જણાવ્યુંં છે.

પ્રસ્તાજવનામાં લેખક લખે છે કે આપણે ભારતના લોકો… વી ધ પીપલ ઓફ ઈન્ડિ યા… અમે ભારતના લોકો… આપણા બંધારણના સૌથી પહેલા શબ્દો . મારું ખૂબ ગમતું વાકય કે સ્લો૭ગન હું આ રીતે જ શરૂ કરવાનું પસંદ કરું. અહીં આ બુકની વાત કરીએ તો… વી ધ પીપલ ઓફ ઈન્ડિમયા એટલે આપણે ભારતના લોકો. અહીં મારે આપણી વાત કરવી છે. આપણી એટલે કે ભારતના લોકોની ! કેવા છે ભારતના લોકો? આપણે આપણા ભારત દેશ જેવા છીએ, પંચરંગી!

કયારેક આપણે તદ્દન મિડીયોકર એટલે કે મધ્યરમવાદી છીએ તો અમુક વાતોમાં આપણે અંતિમવાદી છીએ. આપણે આપણા મોરલ અને એથિકસ સમય સંજોગો પ્રમાણે બદલી નાખીએ છીએ. સારું છે કે ખરાબ તે ખબર નથી! હા, પણ એક વાત ચોક્કસ છે કે આપણે દેશપ્રેમી નથી! આ વાત જાણે સદીઓથી સાચી હતી અને આજે પણ સાચી જ છે. આ દેશના ઈતિહાસમાં ગદ્દારોની કોઈ કમી નથી. આટલા તાકાતવાળા અને આટલા વધુ સંખ્યાદમાં હોવા છતાં આપણે અનેક લોકોને આપણા પર રાજય કરવાનો મોકો આપ્યોા છે અને દુઃખની વાત તો એ છે કે આપણે ઈતિહાસમાંથી કંઈ શીખ્યાજ જ નથી.

આજે દેશ આઝાદ થયે ૭૦ વર્ષ થવા આવ્યાઅ. પણ હજુ આપણે આપણી જવાબદારી સમજતા નથી. જવાબદારી એટલે શું? તમારે અને મારે બોર્ડર પર જઈને યુદ્ધો નથી કરવાના. આપણે આપણા સમાજમાં આપણા ભાગે આવતી ફરજો જ નિભાવવાની છે, પણ….

જે દેશમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકશાહી સાચવવા ચૂંટણી થતી હોય અને ૫૦% થી ઓછું મતદાન થતુ હોય તે દેશના લોકો પાસે બીજી કઈ જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખી શકાય? લોકશાહી આપણને ખૂબ ગમે છે. કારણ આપણે આપણને વ્યાેજબી લાગે એમ વર્તી-જીવી શકીએ છીએ. પણ લોકશાહીના નિભાવ માટે મત આપવા જવા જેટલી તસ્દીે લેવા પણ આપણે તૈયાર નથી. ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે. એ કંઈ બોલીવૂડનું મુવી નથી કે જેની પ્રસિદ્ધિ-જાહેરાત-ભલામણ કરવી પડે, ભાગ લેવા લોકોને લલચાવવા-શરમાવવા-સમજાવવા પડે?

પરિવર્તન-બદલાવ-સુધારો બધાને જોઈએ છે, પણ એ માટે પોતાનો કોઈ જ ફાળો આપવો નથી, થોડા પણ શિક્ષિત લોકો ભેગા થાય એટલે ‘આ દેશમાં આ ખામી છે’ આ તકલીફ છે ની કાગારોળ શરૂ કરી દેશે. ઉગીને ઉભા થતા જુવાનીયાઓ, જેમને પોતાના વાહનનું પંચર થયેલુ ટાયર બદલતા પણ નથી આવડતુ તેમને પણ દેશ બદલી નાખવાની જરૂર છે તે ખબર પડે જ છે.

પોતાના દેશ-સમાજ કે કુટુંબને પાંચ પૈસાની મદદ ન કરી શકતો માણસ પણ દેશ કેમ ચલાવવો જોઈએ તે વિશે વિદ્વત્તાભર્યું ભાષણ આપી શકે છે.

દુનિયા બદલાઈ રહી છે અને ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આપણા પછી આઝાદ થયેલા કે ઉભા જ થયેલા દેશ આપણા કરતા ઘણા આગળ દોડવા લાગ્યાષ છે. વોર્નીંગ સિગ્નલ વાગી ગયું છે. ‘દોડો કે હારો’ આપણે બધા જ અંદરથી સમસમી ગયા છીએ કે, ‘હા ! હવે કંઈક નક્કર કરવું રહ્યું’ પણ શું? અને કોણ કરે? (યસ! શું કામ કરે? એ પ પ્રશ્ન ઘણાને હશે જ, પણ અહીં આપણે વિદ્વાનોને આરામ આપીશુ અને કર્મિષ્ઠ( લોકોની જ વાત કરીશું.)

આ દેશમાં બે વાતની મોટી ખોટ છે. એક સારા નેતૃત્વકની અને બીજી દેશદાઝની! દરેક વ્યપકિત કોઈક બીજુ સમાજ માટે કંઈક કરે એની રાહ જુએ છે.

આપણે નવું કંઈક વિચારવુ અને અમલમાં મૂકી દેવું એવો કન્સેનપ્ટા જ નથી. દરેક વાતની ચર્ચા- વિચારણા કરવી, પાંચ લોકોના મત લેવા (જેથી આપણે કામનો પ્રયત્નન કર્યો હતો એવો જવાબ આપણી જાતને આપી શકીએ અને પાંચની વાત આવશે એટલે નક્કર તો કંઈ થશે જ નહિં એટલે ચિંતાનો તો વિષય જ નથી) અને પછી બધા સર્વાનુમતે નક્કી કરે તેમ કરવુ એટલે કે ઓલમોસ્ટ્ કંઈ જ ન કરવું. નેતૃત્વવ ટાળવાના કારણોમાં સૌથી પહેલા તો પોતાની જાત પરના વિશ્વાસનો જ અભાવ છે અને બીજું આ દેશે ઉમદા નેતૃત્વાને ઈતિહાસમાં ખોટું જ પાડયુ છે. હવે શું કરીશું? ઈતિહાસ જ વાગોળતા રહીશું? ના! આજે શરૂઆત કરીએ, તમારા અને મારાથી શરૂઆત કરીએ, આપણા રસ્તાા લોકો મળે અને ટીમ બને તો ‘હરીકૃપા’ અને જો આપણે એકલું જ ચાલવાનું આવે તો ‘હરી ઈચ્છાક’. જો કે એવું થશે નહીં.

હું આ બુક લખું છું અને તમે આ બુક વાંચો છો એટલે આપણે બે તો થયા જ ને? ! એટલે હવે એકલાની વાત અહીં પૂરી થઈ. મને વિશ્વાસ છે કે તમારા અને મારા જેવા કરોડો લોકો આ દેશમાં જે ‘હકારાત્મ ક પરિવર્તન’ લાવવા માગે છે અને પોતાનો ફાળો આપવા પણ તૈયાર છે, પણ રસ્તો‘ નથી. અહીં હું મારા અવલોકન, સમજણ અને અનુભવને આધારે અમુક મુદ્દા મુકું છું. ચાલો ! અહીંથી અને આ રીતે શરૂ કરીએ

પુસ્તીક : ધ સિવિક કોડ
પાના : ૧૮૦
કિંમત : ૨૨૫ રૂ.
પ્રકાશક- :ડો. ગોરા એન. ત્રિવેદી (પી.એચ.ડી, એલ. એલ. એમ. બી.એસસી, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-, શ્રી એચ. એન. શુકલા કોલેજ ઓફ લીગલ સ્ટાડીઝ, રાજકોટ.
પ્રકાશન : શ્રદ્ધા, શ્રી રામ પાર્ક મેઈન રોડ, આરએમસી સ્વીલમીંગ પુલ, આત્મીાય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૦૨૮૧-૨૫૭૭૧૭૮- ૭૪૦૫૪ ૭૯૬૭૮-૮૯૮૦૦ ૯૨૨૫૫)

Share this

4 replies on “એક નોખું અનોખું પુસ્ત ક : ધી સિવિક કોડ”

  1. પુસ્તકનો રીવ્યુ ગમ્યો. આજે આ પ્રકારના પુસ્તકની જરુરિયાત હતી.ચોક્કસ મંગાવીશ.પરિવર્તનના હેતુસર લેખક અને આપનો પ્રયાસ સરાહનીય છે.

  2. પુસ્તકનો રીવ્યુ ગમ્યો. આજે આ પ્રકારના પુસ્તકની જરુરિયાત હતી.ચોક્કસ મંગાવીશ.પરિવર્તનના હેતુસર લેખક અને આપનો પ્રયાસ સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.