ગીત-કિરણસિંહ ચૌહાણ

તું જે કહે એ કરું,
ઝેર પીને જીવું, કહે તો અમૃત પીને મરું !

તનમાં ખળખળ વહી રહ્યા છે લોહી કેરાં ઝરણાં,
મનમાં અવિરત દોડે છે મીઠી યાદોના હરણાં.
તેં આપ્યું એ વિકસાવીને અંતે તુજને ધરું.

જેમ તને હું ઝંખું છું એમ તુંય મને ઝંખે છે,
તોય મળાતું નથી હજી એ વાત મને ડંખે છે.
હા મળવાથી ઉત્કંઠાઓ મરી જાય…એ ખરું !

( કિરણસિંહ ચૌહાણ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.