બાંધણીનાં વેપારી અને અમદાવાદના રહેવાસી એવા ગઝલકાર ભાવિન ગોપાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ અમદાવાદમા થયો હતો. ( પિતા: બિપિનચંદ્ર ગોપાણી, માતા: જ્યોત્સના ગોપાણી). તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદ ખાતે પ્રકાશ બાલમંદિર (ધોરણ ૧ થી ૪; ૧૯૮૧થી ૧૯૮૫); દુર્ગા વિદ્યાલય (ધોરણ ૫ થી ૧૦; ૧૯૮૫ થી ૧૬૯૧) અને સરદાર પટેલ હાઇસ્કુલ (ધોરણ ૧૧ અને ૧૨; ૧૯૯૧ થી ૧૯૯૩)માંથી લીધું. ૧૯૯૬માં તેમણે સહજાનંદ કોલેજ (અમદાવાદ)થી બી.કોમ ની ડિગ્રી મેળવી. ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ તેઓ કૈલાસ ગોપાણી સાથે લગ્નગ્રંથીથી જોડાયા.
તેમણે ગઝલસર્જનનો પ્રારંભ ૨૦૧૧થી કર્યો. ૨૦૧૩માં ‘કવિતા’ દ્રિમાસિકમાં સૌપ્રથમ વાર તેમની ગઝલ પ્રગટ થઇ. ત્યારથી લઇ આજ સુધી તેમની ગઝલો પરબ, કવિલોક, ગઝલવિશ્વ અને ધબક જેવા સામાયિકોમાં નિયમીત પ્રગટ થતી આવી છે. ટૂંક સમયમા જ તેમના ‘ઉંબરો’ અને ‘ઓરડો’ નામનાં બે ગઝલસંગ્રહો પ્રકાશિત થનાર છે.
Mob : +91 9825698628
E-mail ID: bhavingopani@yahoo.com