સ્મૃતિઓ-જયા મહેતા

સ્મૃતિઓ સળવળ્યા કરે છે
ફરી ફરીને દૂઝ્યા કરતા જખમની જેમ
અને
આંખને ખૂણે ઝળૂંબી રહે છે
આંસુનાં ટીપાં.
એમાં મેઘધનુષના રંગો જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ ઝાકળબિંદુઓ નથી
કમળની પાંખડી પરનાં.
એમાં ઉદાસીના કાળભૂખરા રંગ જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ વરસાદમાં લટકી રહેલાં ટીપાં
સુક્કી ડાળી પરનાં.
જુઓને, કેવી ઝળૂંબે છે આંખને ખૂણે
જીવંતપણાની નિશાનીઓ !

( જયા મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.