Category Archives: પ્રાસંગિક

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

કેપ્ટન નિલેશ સોનીનું અમદાવાદ ખાતેનું સ્મારક
“આ છે સિઆચેન” પુસ્તકના વિમોચન પ્રસંગે કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની
આજના દિવસે કેપ્ટન સોનીના સ્મારકને પરિવારજનો, લશ્કરના અધિકારીઓ અને અન્ય લોકો દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિ

જગતના સૌથી ઊંચા અને દુર્ગમ રણમેદાન સિઆચેન ખાતે ૩૦ વર્ષ પહેલા ગુજરાતી યુવાન કેપ્ટન નિલેશ સોનીએ શહિદી વહોરી હતી. આજે એટલે કે ૧૨મીએ ફેબ્રુઆરીએ તેમની શહાદતને બરાબર ૩૦ વર્ષ પૂર્ણ થયા. જો કે વતન માટે મરી ફીટવાની એ અદ્વિતિય અને અનોખી પરાક્રમગાથાથી ઘણા ખરા ગુજરાતીઓ અજાણ છે. સિઆચેન મોરચે લડત આપતા કેપ્ટન સોની ૧૯૮૭ની ૧૨મી ફેબ્રુઆરીએ ૨૦ હજાર ફીટ ઊંચા પહાડી રણમેદાનમાં શહિદ થયા હતા.

હિમાલયમાં ૨૧ હજાર ફીટ ઊંચે આવેલી સિઆચેન હિમનદી પર પાકિસ્તાન કબજો જમાવવા માંગતું હતું. તેને અટકાવવા ભારતીય લશ્કરે ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂતનો આરંભ કર્યો હતો. ચારેક વર્ષ સુધી ચાલેલા એ જંગ દરમ્યાન કેપ્ટન નિલેશને ૧૯૮૬ના ડિસેમ્બરમાં સિઆચેન ચોકી પર પોસ્ટીંગ મળ્યું હતું. શિયાળામાં આપણે ત્યાં દસ-પંદર ડીગ્રી તાપમાન હોય એ વખતે સિઆચેન ખાતે માઈનસ ૫૫ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. તાજેતરમાં જ સિઆચેન વિશે પ્રગટ થયેલા પુસ્તક “આ છે સિઆચેન”માં હર્ષલ પુષ્કર્ણાએ નોંધ્યું છે કે સિઆચેન સરહદ આખા જગતમાં સૌથી આકરી છે. ત્યાં નક્કર જમીન ન હોવાથી કોઈ કાયમી ચોકી બાંધી શકાતી નથી. સતત થતી બરફવર્ષા વચ્ચે જવાનોએ અહીં ૯૦ દિવસ સુધી રહેવાનું હોય છે. એ દરમિયાન તેમનું દસ-પંદર કિલોગ્રામ વજન ઘટી જાય એ નક્કી હોય છે. એવા વિષમ મોરચે કેપ્ટન સોનીને ઓપરેશન મેઘદૂત હેઠળ મોકલવામાં આવ્યા હતા.

સિઆચેન જતાં પહેલા કેપ્ટન સોનીએ ઘરે પત્ર લખ્યો હતો કે હવે હું વધારે દુર્ગમ સ્થળે જઈ રહ્યો છું. માટે મારા પત્રો તમને કદાચ મળશે નહીં. ઘરના સભ્યોને લખેલો એ પત્ર તેમનું છેલ્લું સંભારણું બની રહ્યું. કેમ કે પાકિસ્તાન દ્વારા નિયમિત રીતે થતા તોપમારામાં ૧૨મી ફેબ્રુઆરીના દિવસે કેપ્ટન સોની શહિદ થયા હતા. શહિદ થતાં પહેલાં કેપ્ટન સોની અને તેમના સાથીદારોએ પણ પાકિસ્તાન તરફ સંખ્યાબંધ પ્રહારો કર્યા હતા. પરંતુ પાકિસ્તાની તોપનો એક ગોળો શિખર પર ફાટ્યો હતો. એ સાથે જબરફ ફસકી પડતાં તેની નીચે કેપ્ટન સોની સહિતના સાથીદારો બરફ નીચે દટાઈ ગયા હતા. તેમની શહાદત માટે તેમને સિઆચેન ગ્લેશિયર મેડલ સહિતના સન્માનો આપવામાં આવ્યા હતા.

મૂળ વિરમગામના કેપ્ટન સોનીનો જન્મ ડેપ્યુટી કલેક્ટર હરજીવનદાસ ચત્રભુજ સોની અને કલાવતીબેન સોનીના ઘરે તા. ૧૯ જુલાઈ, ૧૯૬૨ના દિવસે અમદાવાદના પાલડી વિસ્તારમાં થયો હતો. તેઓ હરજીવનદાસના સોથી નાના સંતાન હતા. પાલડીની શીશુવિહાર બાલમંદિર સ્કુલ અને સી. એન. વિદ્યાલયમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બાલાચડી સૈનિક સ્કુલમાં અને એ પછી ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલિમ લીધી હતી. તે જમાનામાં પોતાના સંતાનને દૂર ભણવા મૂકવાની પણ માનસિકતા ન્હોતી અને તે પણ લશ્કરી સ્કુલમાં મૂકવાનું કેપ્ટન સોનીના માતા-પિતાએ આ હિંમતભર્યું પગલું લીધું હતું. ખુદ કેપ્ટન સોનીને પણ બાળપણથી લશ્કર તરફ એક લગાવ હતો.

૧૨મા સુધી અભ્યાસ પૂર્ણ કરી કેપ્ટન સોનીએ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી ખડકવાસલા ખાતે પોતાની તાલીમનો પ્રારંભ કર્યો. ૧૯૮૪માં રેગ્યુલર કમિશન્ડ ઓફિસર તરીકે ૬૨, ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ મેળવી. કેપ્ટન સોનીએ પોતાના ફરજકાળ દરમ્યાન કાશ્મીર, શ્રીનગર અને લેહમાં પોતાની ફરજ બજાવી હતી.

બહુ ઓછા ગુજરાતી યુવાનો સૈન્યમાં ભરતી થાય છે. તેમાંથી બહુ ઓછાને સિઆચેન જેવા દુર્ગમ સ્થળે ફરજ બજાવવાનો લ્હાવો મળે છે. કેપ્ટન સોની તેમાંના એક હતા. શહિદી પછી તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ દેહને ત્રિરંગામાં વિંટાળીને અમદાવાદ લવાયો હતો. અહીં લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.

કેપ્ટન સોનીની શહાદત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેપ્ટન સોની જ્યાં રહેતા હતા તે માર્ગને કેપ્ટન નિલેશ સોની માર્ગ જાહેર કરવામાં આવ્યો. તેમના ઘરની નજીક પાલડી ભઠ્ઠા વિસ્તારમાં અંજલી બી.આર.ટી.એસ સામેજ કેપ્ટન સોનીનું સ્મારક આવેલું છે.

આભાર : કેપ્ટન સોની વિશેની માહિતી અને ફોટોગ્રાફ્સ કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની થકી મેળવી શકી છું. કેપ્ટન સોની જેવી વ્યક્તિ વિશે “મોરપીંછ” પર પોસ્ટ મૂકવાની પરવાનગી આપવા બદલ હું તેમનો આભાર માનું છું.

मित्रता मैदानी नदी की तरह शांत होती है-आलोक टंडन

आजकल सोशल मीडिया पर दोस्ती की बहार है किंतु क्या इसे सच्चे अर्थों में दोस्ती कहा जा सकता है ? सिर्फ पसंद/नापसंद या कभी कोई टिप्पणी कर देने मात्र से दोस्ती जिंदा तो रह सकती है पर परवान नहीं चढ़ सकती। उसके लिए तो साथ-साथ, साझा अनुभव जरूरी है। हमारे जीवन में मित्रता की दो भूमिकाएं ऐसी हैं, जो उसे एक आदर्श का दर्जा देती है। हम सभी, जीवन के किसी मोड़ पर ठोंकरे खाकर गहरी हताशा में डूब जाते हैं। ऐसे में मुरझाए मन को फिर से खिलने लायक बनाने में मित्र बहुत काम आते हैं। उनका निःस्वार्थ प्रेम ही हमें फिर खड़े होकर जीवन का सामना करने की शक्ति देता है। तभी तो आचार्य रामचन्द्र शुक्ल ने मित्र को औषधि समान माना है। अपने आपको समझने, अपना सर्वोत्तम विकसित करने में मित्र बिना किसी एहसान के मदद करते हैं, जो हमें अपने जीवन का अर्थ पाने में दूर तक साथ देते हैं। यह सही है कि सभी दोस्त ऐसे नहीं होते किंतु ऐसा एक भी दोस्त मिलना या स्वयं होना, जीवन को ईश्वरीय वरदान है।

इतना तो तय है कि हर कोई, हर किसी का मित्र नहीं हो सकता पर इसमें जाति-पाति, ऊंच-नीच, धर्म-नस्ल का भाव ज्यादा मायने नहीं रखता। फिर चाहे हम कृष्ण-सुदामा, राम-सुग्रीव या दुर्योधन-कर्ण के पौराणिक उदाहरण लें या चन्द्रगुप्त-चाणक्य, तुलसीदास-रहीमदास के ऐतिहासिक उदाहरण। पहली बात तो यह है कि मित्रता रक्त संबंध नहीं है, हम अपने मित्रों का चयन करते हैं। भले ही इसके पीछे अचेतन रूप से वैज्ञानिकों के अनुसार, हम और हमारे मित्रों के बीच डीएनए की एक प्रतिशत समानता ही क्यों न हो। विवाह की तरह मित्रता का कोई बना-बनाया ढांचा नहीं होता। मित्र से महीनों बात किए बिना भी मित्रता पर आंच नहीं आती पर यह बात विवाह संबंध के बारे में नहीं कही जा सकती। मित्र के रूप में हम उन लोगों को ही चुनते हैं, जिनकी गतिविधियों, रुचियों, सोच और सरोकारों में हमसे समानता हो। तभी तो मित्र की परिभाषा अरस्तू ने ‘हम जैसा एक और’ के रूप में की है। दोस्ती के फलने-फूलने के लिए ‘भरोसा’ सबसे जरूरी होता है। हम अपने दोस्त के सामने अपने को इस भरोसे के साथ खोलना चाहते हैं कि वह हमें वैसे ही स्वीकार करेगा जैसे कि हम हैं और बुरी लगने पर भी सच बात कहने से नहीं चूकेगा जिससे हम जीवन में भटकावों से बच सकेंगे।

विद्वानों ने मित्रता के मुख्यतः तीन रूप बताए हैं- सुख मैत्री, उपयोगिता मैत्री और गुण मैत्री। हममें से अधिकांशतः पहले दो प्रकार की मित्रता को ही प्रश्रय देते हैं, लेकिन तीसरी, गुण मैत्री ही नैतिक रूप से उत्कृष्ट मानी जाती है। हम अलग-अलग व्यक्तियों के साथ मित्रता के अलग-अलग रूप से जुड़े हो सकते हैं और एक ही व्यक्ति के साथ तीनों रूपों में एक साथ भी जुड़ सकते हैं। जहां पुरुषों के बीच मित्रता में साथ-साथ कार्य-संपादन की भूमिका ज्यादा होती है वहीं, स्त्रियों के बीच मित्रता में भावात्मक, व्यक्तिगत घनिष्ठता का महत्व ज्यादा होता है।

मित्रता के जिस आदर्श रूप की चर्चा हम ऊपर कर आए हैं, उसका दायरा आज सिकुड़ता नज़र आ रहा है। भावनात्मकता के स्थान पर अपना सुख और व्यापारिकता हावी होती जा रही है। हम एक-दूसरे का उपयोग करने के लिए दोस्ती करने लगे हैं। ऐसा नहीं है कि दोस्त एक दूसरे के काम नहीं आते किंतु यह मित्रता का प्रधान उद्‌देश्य नहीं है। उसका उद्‌देश्य तो हार्दिक, प्रेमपूर्ण आत्मीयता को गहराना है, विस्तार देना है। रोमांटिक प्रेम में पहाड़ी झरने की तरह आवेग, तीव्रता अधिक होती है किंतु यह अस्थायी साबित होता है। मित्रता मैदान में नदी की धारा की तरह शांत, लेकिन स्थायी होती है और जीवन के अंतिम पहर तक साथ देती है। एक श्रेष्ठ जीवन के लिए यह नितांत वांछनीय है।

( आलोक टंडन )
रिसर्च फैलो, इंडियन काउंसिल ऑफ फिलोसॉफिकल रिसर्च प्रोजेक्ट

હોળી-દિવ્યા સોની “દિવ્યતા”

IMG-20160323-WA0022
*
જ્યારથી આંખો એમની વખોડી ગઈ;
ત્યારથી હૈયે વિયોગની હોળી થઇ !
*
જયારે કર્મોના હિસાબ આપતી, ખાલી ઈશ્વરની ઝોળી થશે;
ક્યાંક રંગોની ધૂળેટી તો કેટલાક હૈયે ત્યારે ઉની હોળી થશે !
*
જેટલી માનવીના મનમાં આંચ છે;
એટલે હોળીમાં પણ ક્યાં દાઝ છે ?
*
કૃષ્ણ બનવું સહેલું છે, રાધારાણી બનવા કરતા કદાચ;
રાધાએ હૈયાની કરી હોળી પણ ના બાંધ્યા ત્રિભુવન નાથ !
*
પ્રિયતમાના ચહેરે શોભેશે મેઘધનુષી રંગો;
હોળી તો બસ નિમિત્ત છે, હૈયું રંગો કે અંગો !
*
શું કરું સતરંગી હું વાત ? મારી આંખે તો અંધારા આવી જાય છે;
જયારે પેટની હોળી ઠારવા, કોઈ બાળક મજુરી કરવા જાય છે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

ઇન્ડિયન આર્મી ડે!-ડો. ગોરા ત્રિવેદી

Army Day-1

૧૫ જાન્યુઆરી… ઇન્ડિયન આર્મી ડે!

આપણા દરેક દિવસ અને રાતની શાંતિ જેમના કારણે છે તેમનો દિવસ એટલે આર્મી ડે! છેલ્લા ૨ દાયકાથી લોકોનો રોષ વધી રહ્યો છે; આપણા જવાનો કપાઈ રહ્યા છે-વીંધાઈ રહ્યા છે. લોકોને યુદ્ધ જ એક વિકલ્પ દેખાય છે. કોઈ પણ સરકાર જો યુદ્ધ નથી ઈચ્છતી તો એનું કારણ પણ આપણે જ છીએ. એક યુદ્ધ કોઈ પણ દેશને દાયકાઓ પાછળ લઇ જાય છે; એટલો ખર્ચ અને ખુંવારી થાય છે કે જેને પહોંચી વળવા એક પેઢી ખપી જાય છે. આપણા જવાનો શહીદી વોહરે છે તે ફક્ત આપણી સુરક્ષા માટે જ નથી પણ આપણી સમૃધ્ધિ માટે પણ છે; પણ આપણે આ વાત આ રીતે જોતા કે સમજતા જ નથી.

આપણા આદર્શો નટ-નટીઓ અને વેપારી ખેલાડીઓ છે. આપણા જવાનોના ફોટોગ્રાફ્સ આપણે કશે રાખતા નથી અને આવા નક્કામાઓના ફોટોગ્રાફ્સથી કોમ્પ્યુટર, લેપટોપ, સેલ ફોનની સ્ક્રીન્સ છલકાતી હોઈ છે.

આપણે સરહદ પર જઈને લોહી નથી વહાવવું પડતું તો એટલીસ્ટ અહીં સમાજમાં તો એ રીતે વર્તીએ કે આપણા જવાનોને એવો સવાલ ના થાય કે ‘કેવા લોકો માટે આપણો જીવ દઈએ છીએ?!!!’

આ દેશની સ્વતંત્રતા, શાંતિ અને સમૃધ્ધિ માટે સતત જાગતા રહેતા, લડતા રહેતા અને શહીદી વહોરતા રહેતા જવાનોને સલામ!
The Civic Code – Awareness for Patriotism ‘આપણા આદર્શો’માંથી….

Army Day

દિવાળી-દિવ્યા સોની “દિવ્યતા”

Diwali

પાંચ દિવસની દિવાળીમાં, વહેચું હું પાંચ મારા વિચાર !
ત્યારે ઉજવીએ દિવાળી, જ્યારે અંધકાર પર જીતે ઉજાશ !

દિવાળી શબ્દ પડતાં જ મનમાં બાળપણ, રોશની, ફટાકડાં, સફાઈ, મીઠાઈઓ, નવા કપડાં, મિત્રો, હસી-ખુશી, કુટુંબીજનો, જાત ભાતના સાથીયાઓ, દિવાળી નિમિતે થતી પૂજાઓ, ઘરેણાં તેમજ વાહનની ખરીદીઓ, નવા કેલેન્ડર, જુના હિસાબો, નવા વ્રતો, નવ વર્ષની શુભેચ્છાઓ સહિત બીજુ ઘણું યાદ આવે. આ સર્વે લાગણીઓ અને અનુભૂતિને દરેક દિવાળીએ માણી અને યાદોની થેલીમાં ભરતી જાઉં છું, અને વાગોળતી રહું છું.

દિવાળીનાં દરેક દિવસ સાથે કંઈ કેટલા રિવાજો વણી કઢાયેલા છે અને એની પાછળના કારણો કે સાચી રીતોથી મહદઅંશે અજાણ આપણે એ રીતિઓ નિભાવ્યા કરીએ છીએ. આ વર્ષે થયું લાવ આ દિવાળી ના રીવાજો વિષે હું અત્યાર સુધી શું સમજી છું તેનો વિચાર કરુ. એ વિચારોમાંથી જ આ લેખની શરૂઆત થઇ.

(૧) દિવાળીમાં સફાઈ કરવી જોઈએ, પણ એ સફાઈ શાની ? હું માનું છું કે એ સફાઈ આપણા મનના મેલની હોવી જોઈએ. ઘર તો આપણે રોજ જ સાફ કરીએ છીએ એના કરતાં મન ઉપર જે રોજના રાગ, દ્વેષ,છળ, કપટ, કામ, ક્રોધ , નિંદા, અસત્યના મેલ ચડાવીએ છીએ એની સફાઈ વધુ જરૂરી નથી ? મેં આ વર્ષે દિવાળીની સફાઈમાં સૌ પ્રથમ જાળા પાડવાનું શરુ કર્યું, ત્યાં મારો સાત વર્ષનો દીકરો આવી કહે છે કે મમ્મી મારા પલંગ ઉપરનું નાનું જાળું રહેવા દેજે. મે પૂછ્યું કેમ એ કરોળિયો તારો ફ્રેન્ડ છે ? અને દીકરાએ જવાબ આપ્યો કે, ના ફ્રેન્ડ તો નથી પણ એ ખુબ નાનો છે. એ એકલો છે. એનાથી કદાચ પાછું એ જાળું નહિ બનાવાય. એટલું એ એક જાળું પાડ્યા વિના પણ આ લખનાર માના કાનોમાં દિવાળી રણકી નથી ?

(૨) દિવાળીમાં જાત જાતની મીઠાઈઓ અને ભાત ભાતના નાસ્તાઓનો રસથાળ હોય છે. દિવાળીમાં ભેગા મળી કરાતી ઉજાણી અને મંદિરોમાં ભરાતા મોટા મોટા અન્નકુટોની વાત જ ન્યારી છે. મિત્રો અને સગાવહાલાં સાથે મળી આ નાસ્તોની ઉજાણી એટલે દિવાળી. ને કોઈકવાર બસ આમ જ મારે નોકરીએ જવાનું હોય ને પતિ કહે મારેય રસોઈ શીખવી છે. આજનો ચા નાસ્તો હું જ બનાવીશ, ત્યારે પણ મારી આ આંખોમાં ચમકી ઉઠે છે આ દિવાળી. તો ક્યારેક મારો દીકરો એના પોકેટ મનીના ડોલર એના ડેડી માટે લક્ઝરિયસ કાર લેવા ભેગા કરી રહ્યો છે, આ ડોલરમાંથી એ એક ડોલર એ પોતાના માટે પણ નથી ખર્ચતો. એક દિવસ અચાનક એના એને રસ્તે રહેતાં ભિખારીઓની વાત કહે છે અને ત્યારે એ પોતાની પાસે ભેગા કરેલા ૫૦ ડોલર લઈને દોડી આવે છે અને ડેડીને કહે છે કે આ ડોલર એ ભિખારીને આપી દેજો. સાંભળીને આ માતા-પિતાની આંખમાં જાણે દિવાળી ઝળહળી ઉઠી. નાની નાની લાગણીઓને વહેચતી આ રહી છે મોટી દિવાળી.

(૩) દિવાળીમાં મને સૌથી વધારે અચરજ પમાડતી વાત એ છે કે આ તહેવાર આપણો સૌથી મોટો તહેવાર છે. અને એ દિવસ અમાસનો દિવસ છે. અમાસને આપણે અશુભ ગણીએ છીએ. અને આજ અમાસને દિવસે ઉજવાતો તહેવાર છે દિવાળી. એ શું દર્શાવે છે ? કદાચ એવું જ કૈક કે બીજાના અજવાળે ક્યાં સુધી તું નિર્ભર રહીશ ? ચાલ પેટાવ નાનકડો દીવડો, તું જાતે જ તારા અંધારાનો મારક બનીશ. દિવાળીના દીવડાઓ જેવા સગપણ શોધો. જે જીવનને રોશન કરે. જુના ચોપડાં બંધ કરો એવી જ રીતે જીવનમાં પણ હિસાબ ચોખ્ખો રાખો. કોઈ સાથે ના જ બનતું હોય તો એને મનમાંથી પણ કાઢો. એના માટે દુ:ખી થવાય જ નહીં. એના માટે મન મનાવાય જ નહીં. જે માત્ર તમને રંજાડવા જ જનમ્યાં છે એવા વ્યક્તિઓની હૃદયમાંથી બાદબાકી કરો. નવા દીવડાં પ્રગટાવો, નવા સગપણ સ્થાપો. ગમતાં જૂનાં દીવડાઓને સ્નેહનાં તેલે છલકાવો. જે તમારા જીવનને ઝળહળ જગમગાવીને ઉત્સવ બનાવી દેશે.

(૪) દિવાળીમાં લક્ષ્મીપૂજા અને નવી ખરીદીનો મહિમા ખુબ મોટો છે. લક્ષ્મીપૂજાના ચોઘડિયા સાચવવાં અને ધૂમ ખરીદી કરીને લીધેલી વસ્તુઓ બધાને બતાવવી એટલે દિવાળી. પણ એની પાછળ છૂપાયેલા કારણની મારી સમજણ કંઈક આવી છે. દિવાળીના ખુશીના તહેવારે આપણી પાસે છે, એ બધું યાદ કરો. જીવનમાં મેળવેલું ધન એ માત્ર રૂપિયા, પૈસા, સોનું, ચાંદી જ નથી, તમારા મિત્રો અને સગાવહાલા પણ છે. તો આ સર્વેને નજર સમક્ષ લાવો અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો કે આપણને મિત્રોનો, સારા સગપણનો કેવો મોટો ધનવૈભવ આપ્યો છે. અને એ સર્વે ધનવૈભવ, મિત્રવૈભવ, સ્વાસ્થ્યવૈભવ કે બીજો કોઈપણ જાતનો વૈભવ જે તમારા હૃદય ને ટાઢક આપે છે એની કદર કરો. અને મારી પાસે કશું જ નથીની જે લાગણી છે એને ઉગતી જ ડામો. આ છે ખરી લક્ષ્મીપૂજા, નહીં ?

(૫) ફટાકડાં, દીવડા અને ઝગમગ રોશની. આપ સૌને અનેરી દિવાળીની વધામણી. આ ફટાકડાં એટલે અંતરની ખુશીઓની ઉજવણી જોરશોરથી કરવી. આપ સર્વે સ્નેહી મિત્રોના જીવનમાં એટલી ખુશીઓ અને સફળતા આવે કે અમારા હાથની તાળીઓના ગડગડાટનો અવાજ દિવાળીમાં ફટાકડાની ૧૦૦૦૦ ની લૂમ કરતાંય મોટો આવે. તમારાં ભાગ્યનું રોકેટ ચાંદ ને સ્પર્શે. કાળીચૌદસ માટે એવું કહેવાય છે કે ખૂબ વહેલા ઉઠો નહીં તો કાગડો તમારું રૂપ લઇ જશે. શું એ સાચું હશે ? હું માનું કે એ રૂપ ચહેરાનું નહીં મનનું રૂપ. તમે ખુદને અડતી નડતી જીવનની કાળાશને ઓળખો અને મનને સમયસર જગાડો નહીં તો વખત જતા જીવન આખું કાળું બનશે. જો તમે હૃદય ને વહેલું જાગ્રત કરશો તો જીવનસુકાન તમારી ગમતી અજવાળી રાહે વળશે જ. શું કંઈક આવી જ નથી આપણી દિવાળી ? આપણી સમજણથી આપણી આસપાસ \ના વાતાવરણને ઝગમગાવીએ એ જ છે દિવાળીની ખરી ઉજવણી. જીવનને જાણી, માણી વખાણવું એટલે દિવાળી.

આપણને સૌને ગમતી દિવાળી !
ખુશહાલી અડે ને લાગે દિવાળી !
દીકરીની હસીમાં રણકે દિવાળી !
દીકરાના નયનમાં ચમકે દિવાળી !
દીવડો દમકે ત્યાં સૌ સ્મરે દિવાળી !
દર શુભારંભે સાંભરે રોશન દિવાળી !

આપ સર્વે મિત્રોને “દિવ્યતા” તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! જીવનની આ દિવાળી મુબારક !!

( દિવ્યા સોની “દિવ્યતા” )

Roy (2015)

roy-2

Roy (2015)
.
Director: Vikramjit Singh
.
Writer: Vikramjit Singh
.
Star Cast: Arjun Rampal, Jacqueline Fernandez, Ranbir Kapoor, Anupam Kher, Shernaz Patel, Rajat Kapoor
.
It is a movie about what you are that only you know better with your feelings and emotions. It is all about the journey what you walked yourself. Nobody can judge who you are until and unless they put their feet in your shoes and walk through the path, you walked.
.
“रोय” एक कहानी है कहानीकार की. एक बालक अपनी बहोत सारी स्मृतियों में से एक नकारात्मक घटना की गहेरी छाप को साथ में ले कर पलता है. जिसकी असर उसके व्यवसाय में भी दिखाई देती है और उसके जीवन की तरहा ही उसकी कहानी में भी नकारात्मक घटना का विलन, हिरो बनकर उभर आता है.
.
ईस चित्रपट के बारे में बहोत सारे विवेचन अब तक आ गये है. जिस में चित्रपट की कहानी के बारे में लिखा गया है, या तो script को ध्यान में रखते हुए उसका मूल्यांकन हुआ है. प्रथम प्रयास में शायद समजने में कठिन लगे ऐसी ये कहानी script से आगे जाकर बहोत गहन संवेदनाओं के साथ ईन्सान को जोडती है.
.
एश्वर्या राय, संजय दत्त और झायेद खान के चित्रपट “शब्द” के बारे में बहोत सारे लोग अनजान होंगे. बहोत कम लोगों ने ये नाम सुना होगा. “शब्द” की कहानी और “रोय” की कहानी काफी हद तक मिलतीजुलती है. दोनों में महत्वपूर्ण अन्तर ये है कि “शब्द” का climax नकरात्मक था जो एक जीवन को व्यर्थ अंत की और ले जा रहा था. और “रोय” का climax हकारात्मक है जो दोनों ईन्सानों के जीवन को एक नयी उर्जा के साथ एक नयी दिशा में ले जा रहा है.
.
कहानी या script की अपेक्षा रखकर चित्रपट देखने वाली व्यक्ति को ये चित्रपट देख कर निराशा हो सकती है. परंतु सिर्फ दिल के साथ गुफ्तगु करने वाली व्यक्ति ये चित्रपट के थोडे light dialogues के साथ heavy feelings का सातत्य बना पाएगी.
.
कहानीकार के किरदार के लिए अर्जुन रामपाल गलत पसंद हो सकते है. जेकलीन के हिस्से में उसके किरदार को न्याय देने के लिए ईतना कुछ आया नहीं है…वो भी उसका double role होने के बाबजूद. रनबीर कपूर उसकी multi talent साबित करते है.
.
एक कहानीकार अपने चित्रपट के लिए कहानी लिखता है तभी अपनी आसपास की दुनिया में से ही कहानी ढूंढने की कोशिश करता है. कभी कभी खुद के जीवन के हिस्से को ही कहानी के रूप में लिखता है, और तभी कहानी वास्तविकता के ज्यादा करीब होती है. कहानीकार को समजने के लिए सबसे सरल माध्यम उसकी कहानी है. फिर भी हरबार एसा नहीं भी हो सकता है.
.
Music is awesome, fantastic song, lovely lyrics. Any song you can pick and enjoy them any moment. परंतु चित्रपट में गीत कहानी के प्रवाह के साथ एक ताल में बैठते नहीं है. तो कभी कहानी के कुछ भाग में संगीत अधूरा रहे जाता है एसा एहसास होता है.

दिमाग को घर पर रख कर देखने वाले चित्रपट को 400 crores की क्लब में पहुचाने से अच्छा तो अगर दिमाग घर पर ही रखना है तो दिल को साथ में रख कर एक बार देखने जैसा चित्रपट बना है “रोय”.
.
Nice cinematography, good fight sequences, superb music, awesome lyrics, touchy dialogues, fantastic acting, poor script and story, average casting…all and above worth watching once with all your heart and mind.
.
समीक्षा : काजल शाह

आलेखन : हिना पारेख “मनमौजी”

હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

gandhiji

.

હિંદુ ધર્મ શું છે ?

 .

હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા કરવી એનું નામ જ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મ કરતાં સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે.

 .

( મહાત્મા ગાંધી )

સત્યમેવ જયતે! નરેન્દ્ર મોદીના સત્યનો છે આ ભવ્ય વિજય!

સત્યમેવ જયતે! ભારત સરકારનું અધિકૃત સુત્ર ખરા અર્થમાં હવે સાર્થક થયું. આખરે સત્યનો વિજય થયો ખરો! સત્યનો  હંમેશા વિલંબથી વિજય થતો હોય છે! સત્યનો વિજય થતાં પહેલાં સત્યની આકરી અગ્નિ પરીક્ષા થતી હોય છે. સત્યના પંથે આગળ વધો એટલે અનેક વાવાઝોડા, વંટોળનો સામનો તો કરવો જ પડવાનો!  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કહી શકાય કે સત્યનો વિજય થતાં બાર વર્ષ ઉપરનો સમય થઈ ગયો! પરંતુ સત્યનો આટલો ભવ્ય વિજય થશે એવું તો નરેન્દ્ર મોદીએ પણ નહીં વિચાર્યું હશે! એટલી આશા રાખીએ કે નરેન્દ્ર મોદી જે ઉચ્ચારે તે સત્ય જ ઉચ્ચારે! સત્ય જ વિચારે, સત્યનું જ આચરણ કરે. સત્યનાં પંથે જ આગળ વધે ભલે ગમે તેવી આકરી કસોટી કેમ ન થાય? સત્યનો જ અમલ કરે તો સત્ય તેમની સાથે જ હશે જે સત્યનો સાથ છોડતા નથી તેમની ઉપર ઉપરવાળાની અનરાધાર કૃપા વરસતી જ રહે છે!

હવે શ્રી નરેન્દ્ર મોદીનાં વકતૃત્વકલાની, વાણીની, વ્યવહારની ખૂબીઓનું પરિણામ જુઓ, એમની કાર્ય કરવાની પદ્ધતિમાં, વ્યક્તિત્વમાં એવું કંઇક જાદુઈ તત્વ છે, જે સામેની વ્યક્તિને સંમોહિત કરી દે છે! એકસમયના પ્રખર વિરોધીઓ આજે એમના ગુણગાન ગાતા થાકતા નથી. ગુજરાતના ૨૦૦૨નાં રમખાણો પછી ભારતના લગભગ બધાં જ મીડિયા ખાસ કરીને અંગ્રેજી/હિન્દી ન્યુઝ ચેનલો, વર્તમાનપત્રો, મેગેજીનો, બધાં જ નાના મોટા વિરોધી રાજકીય પક્ષો, વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો, ગુજરાત બહારના મોટાભાગના કોર્પોરેટ્સ, ઉદ્યોગપતિઓ બધીજ અદાલતો, ન્યાયતંત્ર, બધાં જ એન જી ઓ (નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન), કહેવાતા ગાંધીવાદીઓ, કહેવાતા બિનસાંપ્રદાયિકો, દલિતો, મુસ્લીમો, આદિવાસીઓ  મોદીની વિરુદ્ધમાં હતાં, તેમના પર સંપૂર્ણ ખોટા, મનઘડંત આરોપો મુકવામાં આવ્યાં, અત્યંત કડક શબ્દોમાં આલોચના થઈ, મોદી સંપૂર્ણ મૌન રહ્યાં. મોદીને નેતા તરીકે જેટલી નફરત, ધિક્કાર મળ્યા હશે એટલા ભાગ્યેજ વિશ્વના કોઈ નેતાને મળ્યા હશે. બનાવટી એન્કાઉન્ટરનાં નામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત હેરાનગતિ કરવામાં આવી, ગુજરાત સરકાર સામે અનેક કોર્ટ કેસો થયાં, અનેક પોલીસ અધિકારીઓ જેલમાં ગયાં. પોતાના પક્ષમાં પણ હરીફ અને સિનિયર નેતાઓનો આંતરિક વિરોધનો સામનો કરતાં ગયાં. સહુની આલોચના, ધિક્કાર ધૃણા, નફરતને મોદી મૂંગે મોઢે સહેતા ગયાં, આ બાબતે સંપૂર્ણ મૌન રહ્યાં ક્યારેય કોઈ દિવસ બચાવનો એક શબ્દ પણ બોલ્યા નહીં. પરંતુ ચુપચાપ પોતાના વિરોધીઓને બહુ કુનેહપૂર્વક ઠેકાણે પાડતાં ગયાં. પક્ષનાં આંતરિક વિરોધને પણ શાંત કરી દીધો,  યુવાનોને શરમાવે એવી એમની કાર્યક્ષમતા સહુને પ્રભાવિત કરતી ગઈ. પોતાની એક બ્રાન્ડ ઈમેજ ઉભી કરવામાં  વિવિધ પ્રચારતંત્રનો એટલો કુશળતાથી ઉપયોગ કર્યો કે દેશવિદેશમાં પણ મોદીની ચર્ચા થતી ગઈ. ગુજરાતના વિકાસ મોડેલનું અને પોતાનું એવું માર્કેટિંગ કર્યું કે હવે દેશને અનેક સમસ્યાઓથી ઉગારવો હોય તો મોદી સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી એવો દેશને ખૂણેખૂણે સંદેશો પહોંચાડ્યો. ગુજરાતમાં વિકાસના એવાં કામો કરી દેખાડ્યા કે જેથી દેશવિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો. દેશમાં સહુ પ્રથમવાર ફક્ત વાતો કરી સહુના વિકાસની, ગરીબોના ઉદ્ધારની, દેશહિતની, દેશપ્રેમની, પ્રજાને જગાડવાની, રાષ્ટ્રીય જાગૃતિની સહુને સાથે લઈને ચાલવાની. આ માટે પ્રજા પાસે માંગ્યો  સહુનો સાથ, સહકાર સહયોગ.  ગુજરાતમાં ભલે ભ્રષ્ટાચાર ઓછો થયો ન હોય પણ અંકુશમાં રાખવામાં સફળ રહ્યાં. સરકારી ઓફિસોમાં આજે પણ પણ ભ્રષ્ટાચાર વિના કામ થતું નથી એ હકીકત હોવાં છતાં કર્મચારીઓની કામચોરીને મર્યાદિત કરી શક્યા. કર્મચારીઓને કામ કરતાં કરી દીધાં, એ એક હકીકત છે કે લોકો સરકારી ઓફિસોનો રોજીન્દા કામકાજનાં ભ્રષ્ટાચારને કદાચ અનિવાર્ય ગણી લીધો છે, સ્વીકારી લીધો છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા, રાજનેતાઓ દ્વારા થતા અમર્યાદિત ભ્રષ્ટાચારને લોકો સહી નથી શકતા એપણ વાસ્તવિકતા છે. ગરીબથી માંડી ધનવાન સુધી, આદિવાસીથી લઈ મુસ્લીમો, અભણથી લઈ બુદ્ધિશાળી લોકોના દીલ જીતી લીધા. ગઈકાલના વિરોધીઓ, દુશ્મનો મોદીની આજે સહુ આરતી ઉતારી રહ્યાં છે. આઝાદીના સાંઠ વર્ષો પછી મોદીના નેતૃત્વમાં એક વિરોધ પક્ષને શાસન કરવા સંપૂર્ણ બહુમતી મળી છે, એમ કહી શકાય કે દલિતો, મુસ્લીમોએ પણ બીજેપીને મત આપી મોદીને લોકસભામાં વડાપ્રધાન પડે આરૂઢ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. ભારતના લગભગ બધાંજ પ્રિન્ટ મીડિયા, લગભગ બધીજ ટીવી ન્યુઝ ચેનલો, મોટા ભાગના ઉદ્યોગપતિઓએ, પહેલીવાર મતદાન કરતાં નવયુવાન મતદારોએ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં વિજયી બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કડક અને દ્રઢ મનોબળવાળા શાસક તરીકેની એમની છાપે લોકોની પ્રશંસા મેળવી. લોકોને મોદીનો અંતરનો અવાજ, કેટલીક આધ્યાત્મિક વાતો, તથા  હૃદયસ્પર્શીવાણી, મૌલિક કાર્યશૈલી લોકોને સ્પર્શી ગયાં. આ લોકસભાની ચૂંટણીમાં શ્રી મોદીના વ્યક્તિત્વના અત્યાર સુધી ઉજાગર ન થયેલા એવાં પાસાં જોવાં મળ્યા. મોદી આજે સહુથી વધુ લોકપ્રિય, લોકલાડીલા, લોકમાન્ય નેતા બની ગયાં. આઝાદીનાં સડસઠ વર્ષો પછી, સરદાર વલ્લભભાઈ પટેલના ગયાં પછી  દેશને આજે જે પ્રકારના નેતૃત્વની જરૂર હતી તે પ્રકારના નેતા અને શાસક મળ્યા છે. લોકોની સમસ્યાઓને સમજવાની અને તેને ઉકેલવાની અનોખી આવડત શ્રી નરેન્દ્ર મોદી પાસે છે. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં બી જે પી ને સ્પષ્ટ બહુમતી મળવી અને વડાપ્રધાનપદે શ્રી નરેન્દ્ર મોદીનું આરૂઢ થવું એ ખરેખર અભૂતપૂર્વ કહી શકાય એવી વિશ્વની સહુ પ્રથમ બુલેટ વિનાની, બેલેટ પેપરથી થયેલી શાંત ક્રાંતિ છે. ભારતમાં હવે સાચી સાંપ્રદાયિક, સદભાવ યુક્ત, સ્થાયી શાંતિની સ્થાપના સાથે સ્વચ્છ સરકારી વહીવટ અને સુશાસન શક્ય બને એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય!

મોદી જ આ કરી શકે!

શ્રી નરેન્દ્ર મોદીની બીજી એક આવડત પર હજુ સુધી કોઈનું બહુ ધ્યાન નથી ગયું કે એનાં પર કોઈ ખાસ ચર્ચા નથી થઈ તે આ વખતની  લોકસભાની ચુંટણીને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે, જાણતા કે અજાણતા તેમણે એક જનઆંદોલનમાં પરિવર્તિત કરી દીધી. જે અન્ના હજારે કે અરવિંદ કેજરીવાલ કે બાબા રામદેવ કરવામાં નિષ્ફળ ગયાં તે વાતને ખુબ જ ચાલાકીથી કે ખૂબીપૂર્વક કોમવાદ, કરપ્સન, વંશવાદ, પરિવારવાદ, દંભી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધનું એક રચનાત્મક જનઆંદોલન બનાવી લોકોના દિલ જીતી લઈ વડાપ્રધાનપદે આરૂઢ થવાનું શક્ય બનાવ્યું! જે કોઈ ન કરી શકે, અશક્યને શક્ય બનાવે તેનું નામ મોદી! તારણ કાઢવું હોય તો કહી શકાય કે નકારાત્મક  જનઆંદોલન કે રાજકારણ ક્યારેય લાંબો સમાય સુધી લોકોનું દિલ જીતી નથી શકતા. નકારાત્મક જનઆંદોલનને હિંસક બનતા વાર નથી લાગતી અને હિંસક બની ગયેલા આંદોલનથી ઘણીવાર દેશ અંધાધુંધી, અરાજકતા અને અવ્યવસ્થા તરફ ધકેલાઈ જાય છે જે દેશની સ્થિરતા અને સલામતીને જોખમમાં મૂકી શકે છે એમ અત્યાર સુધીનો વિશ્વ ઇતિહાસ કહે છે. આવા આંદોલનો થકી લોકોને થતી હાલાકી, હાડમારી, અને હેરાનગતિને કારણે જ લોકોનો સાથ, સહકાર, સહયોગ લાંબા સમય સુધી મળી નથી શકતાં. હવે જે પક્ષ, દેશપ્રેમ, દેશભક્તિ, દેશહિતને ધ્યાનમાં રાખી વાત કરશે, રાષ્ટ્રીય ચેતના જગાવવાનું કામ કરશે તેજ પક્ષ આ દેશ પર રાજ કરી શકશે એ આ ચૂંટણીમાં સિદ્ધ થઈ ચૂક્યું છે. હવે મુસ્લિમ વોટબેન્કની રાજનીતિ પણ સંપૂર્ણ બંધ થવી જોઈએ. એ હકીકત છે કે અત્યાર સુધી વિવિધ પક્ષો દ્વારા મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી રાજનીતિનાં કારણે દેશહિતના થવા જોઈતા કાર્ય થઈ શક્યા નથી. આ નીતિને કારણે આપણા દેશને આતંકવાદને પ્રોત્સાહન મળ્યું છે. જેનો  આકરો સામનો આપણે આજે પણ કરી  રહ્યાં  છે. દેશની પ્રગતિ જાણે થંભી ગઈ એવું લાગે છે. દેશને જો વિકાસના માર્ગે આગળ લઈ જવો હશે તો કડક આકરા નિર્ણયો લેવા વિના છુટકો નથી એ નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે અને એ પ્રમાણે જ નવી સરકાર કામ કરશે એવો એમણે નિર્દેશ તો આપી જ દીધો છે.       બોલો, નરેન્દ્ર મોદી માટે આ કેટલું બધું સાચું છે!

જો તમારા નીતિ, નિયમ, નિષ્ઠા, અને નિયત સારા હોય, પ્રમાણિકતાના પંથે આગળ વધી સદભાવ સાથે સદ્કાર્ય કરવાની શુભ ભાવના હોય, આદર્શો અને સિદ્ધાંતો સાથે જેટલું શક્ય હોય ત્યાં સુધી  સમાધાન ન કરો, જો ભગવાનને તમારા માર્ગદર્શક, પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત બનાવી દો તો જગત સમસ્તની તમામ રચનાત્મક, સર્જનાત્મક શક્તિઓનો તમને સાથ, સહકાર, સહયોગ હરહમેશ પ્રાપ્ત થતો રહે છે! તમે વિપરીત પરિસ્થિતિમાં, ગમે તેટલા પ્રબળ ઝંઝાવાતનો, આકરા વિરોધોનો પણ આસાની મુકાબલો કરી આગળ વધી શકો છો! ભગવાન જ તમારો રક્ષણહાર અને તારણહાર બની તમારી રક્ષા કરતો રહે છે! તમે આકરી અગ્નિપરીક્ષામાં પાર ઉતરી સફળતાના પંથે આગળ વધતાં રહો છો. એ નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કેટલું બધું સાચું છે!

અંતમાં…

કોંગ્રસના, કોમ્યુનિસ્ટોનાં, કોમવાદના, કરપ્શનના, કરતૂતોનાં કાદવકીચડ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં મૂળ આરએસએસના કર્મથ, કાર્યકર્તા એવાં નરેન્દ્ર મોદીની કમાલની કાર્યશૈલી, કાર્યકુશળતા, કાર્યક્ષમતા, કર્તવ્યનિષ્ઠા, કર્તવ્ય પરાયણતા, કુનેહ, કલા, કૌશલ્ય, કારીગરી, ક્રિએટીવીટીએ, કોન્ફીડન્સે અને કરિશ્માએ બી જે પી નું કમળ પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠયું છે તે બદલ મોદીજીને કોન્ગ્રેચ્યુલેશન!

આપણી લોકશાહીની લાજ અત્યાર સુધી લેભાગુ, લુચ્ચા, લફંગા, લબાડ, લંપટ, લોભી, લાલચુ, લુટારા લાલુપ્રસાદ જેવા રાજકારણીઓ સઘળી લાજ શરમ નેવે મૂકી લુંટી રહ્યાં હતાં, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે લોકશાહીનું વસ્ત્રાહરણ કરનારા આવા રાજકારણ અને રાજકારણીઓથી સહુને મુક્તિ અપાવનાર ‘કૃષ્ણ’ બને.

ભૂ,પૂ વડાપ્રધાન મનમોહનસિંહે એમની છેલ્લી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પડે આરૂઢ થશે તો દેશ માટે આપત્તિજનક હશે! આવું બોલીને લોકસભાની ચૂંટણીમાં તેઓ જે પક્ષનાં હતાં તે કોંગ્રેસ પક્ષ માટે મનમોહનસિંહ પોતેજ એક અસ્ક્યામત મટીને  સહુથી મોટી આપત્તિ બની ગયાં! કોંગ્રેસ પક્ષ ને હવે પોતાનું અસ્તિત્વ ટકી ન શકે એવી મોટી આપત્તિ ઉભી થઈ ગઈ. પોતાનું બોલેલું  બુમરેંગ થઈને પાછું એમનાં પક્ષને જ ટકરાશે એમને બિચારાને ક્યાં ખબર હતી! મનમોહનસિંહે મૌન રહીને બી જે પી ને બહુ મોટો ફાયદો કરી આપ્યો,  ખરેખર દેશસેવા કરવા મોદીને મોકો આપ્યો દેશ આજે નમો નમો કરતો થઈ ગયો!

નેતૃત્વ કરનારનાં આ ‘ન’થી શરુ થતાં નવ ગુણોની સાર્થકતા ‘નરેન્દ્ર’ નામમાં સમાયેલી છે!

કોઈ પણ નેતા હોય તેનામાં જો આ ગુણો હોય તો તે નેતા સફળ થવાની શક્યતા ઘણી વધી જાય છે. સહુ પ્રથમ તે ‘નિષ્ઠાવાન’ હોવો જોઈએ,  બીજો ગુણ તે ‘નીતિનિયમો’ને અનુસરનાર ‘નૈતિક’ ગુણો ધરાવનાર હોવો જોઈએ, ત્રીજો ગુણ તેનામાં ‘નિસ્વાર્થભાવ’ હોવો જોઈએ, ચોથો ગુણ તે દ્રઢ ‘નિર્ધારવાળો’ હોવો જોઈએ. પાંચમો  ગુણ તે ‘નિર્ભય’કે નીડર હોવો જોઈએ. છઠ્ઠો  ગુણ તે જે કંઈ કરે છે તેનું તેને અભિમાન ન હોવું જોઈએ એટલેકે તે  ‘નિરાભિમાની’ પણ હોવો જોઈએ. સાતમો ગુણ તે નિષ્પક્ષ  હોવો જોઈએ, આઠમો ગુણ તે જે કંઈ પણ કરે છે તે ‘નિષ્કામ’ ભાવથી એટલે કે ‘ફળ’ની આશા રાખ્યા વિના  કરતો હોવો જોઈએ. આ બધાં ઉપરાંત નવમો ગુણ તે જ કંઈ પણ કરે તે ‘નતમસ્તકે’ કરતો રહે તો તેનું ‘નેતૃત્વ’ સફળ અને સાર્થક બની શકે આજ નેતા લોકપ્રિય અને લોકલાડીલા બની લોકોના દિલમાં જગા બનાવી ‘નિરાંતે’, નિશ્ચિંત થઈ રાજ કરતો રહે છે. આ બધાં ગુણો ધરાવનાર ‘નર’માં ઇન્દ્ર જેવું સ્થાન ધરાવનાર કોઈ ‘નરેન્દ્ર’ નામધારી જ હોઈ શકે! ‘નરેન્દ્ર’ નામને સફળ અને સાર્થક બનાવવા આ ગુણો હોવાં કેટલાં મહત્વના છે?! જેવું નામ તેવા ગુણ કહેવત હકીકતમાં નરેન્દ્ર મોદીએ સાર્થક કરી બતાવી! .

( અરવિંદ પટેલ )

શ્રદ્ધાંજલિ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।

રીડગુજરાતીના સંપાદક શ્રી મૃગેશભાઈ શાહને “મોરપીંછ” તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.

હિના પારેખ “મનમૌજી”

Photo Courtesy : Vinaybhai Khatri