મકાનોનાં બંધ દ્વાર,
નિર્જન માર્ગ,
લોકો મૌન,
મારી સોસાયટીનું વાતાવરણ
અકળાવી નાખે છે.
મન ઈચ્છે,
કોઈક તો દ્વાર ખોલે,
એકાદ શબ્દ બોલે,
કે પછી ક્યાંકથી
કોઈ પાગલ આવી
ચીસો પાડે.
કે તોફાની બાળકો
અહીં તહીં દોડે,
ને પછી રામ રામ કરતાં
ભલે ડાઘુઓની પસાર થાય સ્મશાનયાત્રા,
કોઈ મરણ પામ્યો હોય,
બાણું વર્ષનો ઘરડો,
સોસાયટીનું વાતાવરણ તો બદલાય.
.
(અમૃત મોરારજી)
[મોગરાવાડી, હનુમાન ફળિયા, વલસાડ]