.
[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/07/param-samipe-5.mp3|titles=param samipe 5].
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું
અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે.
.
હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું
અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.
.
હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું
અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ
નિર્મૂળ ન થાય, તો મારી ઉપાસના મિથ્યા છે.
.
હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું
અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.
.
હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.
.
( પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર – અંકિત ત્રિવેદી )
.
[ આ પ્રાર્થના http://chhatbarashish.blogspot.com/2010/10/blog-post_22.html અને http://shivshiva.wordpress.com/2006/08/05/manan-chintan-2/ અને http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080508/guj/supplement/d2.html બ્લોગ પર પોસ્ટ થઈ ચૂકી છે. પરંતુ શ્રાવણ માસના પ્રારંભે પ્રાસંગિક જણાતા ફરી પોસ્ટ મૂકું છું.
આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકાશે.]
