નીરખને-ભગવતીકુમાર શર્મા

ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને !
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને !

સઘળી તારી સીમાઓને તું ફેંકી દે;
અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને !

પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે;
ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને !

અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ;
વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને !

તું જે બોલે-લખે-સાંભળે તેનાથી શું?
શબ્દબ્રહ્મ થઈ ઝળહળતો ૐકાર નીરખને !

મારી કવિતા અર્થઘટનથી અળગી ચાલે;
શિશુમુખના પરપોટા શા ઉદગાર નીરખને !

ક્રોંચ વીંધાયું; શ્લોકનું ગર્ભાધાન થયું કે?
વૃક્ષડાળનો લોહીઝાણ ચિત્કાર નીરખને !

( ભગવતીકુમાર શર્મા )

Share this

2 replies on “નીરખને-ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.