
.
બુદ્ધિ પાપોથી ભરી હોય,
તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.
જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,
તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.
તેનું સુખ તમારું સુખ,
તેનું દુ:ખ તમારું દુ:ખ
તેના જીવન અને તમારી વચ્ચેની
સીમા તૂટી ગઈ.
તમે એક-બીજામાં વહો છો.
જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને
પરમાત્મા વચ્ચે ઘટે છે,
તો તેનું નામ પ્રાર્થના,
આરાધના, પૂજા, ભક્તિ
એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.
.
.
જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,
તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,
પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.
પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.
જો તમે પ્રેમ કરી શકો,
તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,
તમે ઉત્સવ મનાવી શકશો.
આ અસ્તિત્વ પ્રત્યે
તમે અનુગ્રહિત થઈ જશો.
જો તમે પ્રેમ કરવા સમર્થ છો,
તો પ્રેમ જ આશિષ બની જાય છે.
.
( ઓશો )
હિનાબેન,
ખૂબજ સુંદર વાત ઓશો ની લઈને આવ્યા છો. પરંતુ આ પ્રેમ સમજવો અને કરવો કેટલો સેહલો/સરળ છે ???? ચાલો આતો ઓશોના ખ્યાલ છે… સુંદર !
LikeLike
હિનાબેન,
ખૂબજ સુંદર વાત ઓશો ની લઈને આવ્યા છો. પરંતુ આ પ્રેમ સમજવો અને કરવો કેટલો સેહલો/સરળ છે ???? ચાલો આતો ઓશોના ખ્યાલ છે… સુંદર !
LikeLike
very true power of love to be understood and beleived by everyone and sorrows of life will disapear…
LikeLike
very true power of love to be understood and beleived by everyone and sorrows of life will disapear…
LikeLike