Skip links

પ્રેમ – ઓશો

.

પ્રેમ પરમાત્માથી મોટો છે.

પ્રેમમાં જ ઊઠીને તમે પરમાત્મા સુધી પહોંચશો.

જે દિવસ તમારી કરુણા એવી

તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો,

પાછળ કોઈ રહી જ નહીં જાય,

કર્તાનો કોઈ ભાવ નહીં બચે-

એ દિવસે તમે પરમાત્મા થઈ ગયા.

પછી તમે અસીમમાં ઊતરી ગયા,

અસીમ તમારામાં ઊતરી આવ્યું.

પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા.

જીવનની સીડી તો આ જ છે-

કામથી પ્રેમ, પ્રેમથી કરુણા,

કરુણા પછી

છલાંગ આપો-આપ લાગી જાય છે,

તેનાથી આગળ કોઈ સોપાન નથી.

     -બિન ધન પરત કુહાર પ્રવચનમાંથી  

 .

લગભગ એવું બને છે કે

પ્રેમને જે નથી જાણતા,

તે પ્રેમના સંબંધમાં બોલે છે,

લખે છે, ગીત ગાય છે.

આ પ્રેમના ખાલીપાને ભરવાના ઉપાય છે.

જેમણે પ્રેમને જાણી લીધો,

તે કદાચ ચૂપ પણ થઈ જાય;

અથવા તો કાંઈ કહે તો,

કદાચ તમારી સમજમાં ન આવે,

કારણ કે તમે તો પ્રેમ જાણ્યો નથી;

જેણે જાણીને કહ્યું છે,

તેની વાત તમને ગમશે નહીં.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

પ્રેમી ધન નથી કમાઈ શકતો,

કમાઈ લે, તો બચાવી નથી શકતો.

એક તો પ્રેમીને કમાવવું મુશ્કેલ થશે,

કારણ કે તેનામાં હજાર કરુણાઓ જાગશે.

કોઈની પાસેથી વધારે પણ નહીં લઈ શકે.

છેતરી પણ નહીં શકે.

જેના હૃદયમાં પ્રેમ છે,

તે બહુ બહુ તો

પોતાના પૂરતું કમાઈ લે.

એટલું પણ થાય તો ઘણું !

ધન ભેગું કરવા માટે તો,

છાતીમાં હૃદય નહીં,

પથ્થર હોવો જોઈએ.

ધન પ્રેમની હત્યા કરીને ભેગું થાય છે.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

( ઓશો )

Leave a comment