પ્રારબ્ધના ફાંસલામાં કે હતાશામાં સપડાશો નહીં,
વ્યથા અને કદરૂપાપણાથી દબાઈ-કચડાઈ ન જશો,
કારણ કે બધાંની પાછળ રહી છે વિશ્વની અપરિમિતતા,
દરેક ક્રિયાની વિઅપરીતક્રિયાનું નિર્વિવાદ સૌંદર્ય ને સંપૂર્ણતા,
આરંભમાં આરંભાયેલા અંતની અપરિહાર્યતા,
અંતથી આરંભાયેલા આરંભની અપરિહાર્યતા.
અનેકની વુપુલતામાંથી જન્મી છે અંતિમ એકતા.
અંતર્ગત એકતામાંથી જન્મ્યા છે લાખો, કરોડો,અબજો, અનેકાનેક.
કોઈ એક નથી અને છતાં બધાં એક છે.
હતાશાથી ફાંસલામાં સપડાશો નહીં,
કારણ કે કદાચ હતાશામાંથી કેટલીયે નવી વસંત જન્મશે.
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )
ઉત્તમ બોધ સાથેના વિચારો …
LikeLike
ઉત્તમ બોધ સાથેના વિચારો …
LikeLike