પડ્યું હોય તે પ્રગટે-માનસી એમ. પાઠક

પડ્યું હોય તે પ્રગટે વ્હાલા પડ્યું હોય તે પ્રગટે
આથમે, ઊગે, ધરબાય ભલે ને અટકે .

.

મનની ભીની ધરતીએ રોજજજે પડતા ચાસ
ઊગી નીકળતું કેટલુંય અડાબીડ, હોય નજીવું કે ખાસ
એક વિચારને પાળો, પોષો, ત્યાં તો બીજો છટકે
પડ્યું હોય તે પ્રગટે.

.

કદીક રહેશે રમમાણ એવું, કદીક ફરશે સંતાતું
રહેશે એવું લીન ભલે તને ન બતાતું
રાખશે તારું ધ્યાન એવું કે તું એનાથી ન ભટકે

પડ્યું હોય તે પ્રગટે.

.

( માનસી એમ. પાઠક )

Leave a comment