
પડ્યું હોય તે પ્રગટે વ્હાલા પડ્યું હોય તે પ્રગટે
આથમે, ઊગે, ધરબાય ભલે ને અટકે .
.
મનની ભીની ધરતીએ રોજજજે પડતા ચાસ
ઊગી નીકળતું કેટલુંય અડાબીડ, હોય નજીવું કે ખાસ
એક વિચારને પાળો, પોષો, ત્યાં તો બીજો છટકે
પડ્યું હોય તે પ્રગટે.
.
કદીક રહેશે રમમાણ એવું, કદીક ફરશે સંતાતું
રહેશે એવું લીન ભલે તને ન બતાતું
રાખશે તારું ધ્યાન એવું કે તું એનાથી ન ભટકે
પડ્યું હોય તે પ્રગટે.
.
( માનસી એમ. પાઠક )