Home

  • કૃષ્ણ મારું સંવેદન – મહેશ શાહ

    . અપૂર્વ ભાવથી સ્મરણ હું કરું, કૃષ્ણ મારું સંવેદન તમે બનો મુજ મંત્ર, ઊચરું, કૃષ્ણ મારું સંવેદન.  . બનો દ્રષ્ટિનો વિષય તમે ને રહો સ્થિર મુજ ખ્યાલે ભૂલી શકું જે ક્ષણ તમને હું, સદાય મુજને સાલે, અનુનય ભાવે વિનંતી કરું, કૃષ્ણ મારું સંવેદન.  . અધર વાંસળી વહો શ્યામ ને કરો ધામ મુજ શ્રવણે નજર ખૂલે…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- પેલે પારનો પ્રવાસ

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?  . પેલે પારનો પ્રવાસ (એક અમેરિકન સ્વામીની આત્મકથા) – રાધાનાથ સ્વામી . . . લેખકનો પરિચય :   રાધાનાથ સ્વામીનો જન્મ ૧૯૫૦માં શિકાગોમાં થયો હતો. તરુણાવસ્થામાં એ આધ્યાત્મિક ખોજ માટે વિશ્વભ્રમણે નીકળી પડ્યા અને છેવટે એ ભક્તિયોગને પામ્યા. હાલમાં એ ભક્તિના જ્ઞાનની વહેંચણી કરવા નિયમિતરૂપે એશિયા, યુરોપ અને અમેરિકાનો…

  • કોને હદપાર ? – પન્ના નાયક

    ક્યારેક જરૂરી હોય છે હૃદયને હદપાર કરી ત્યાં પથ્થર મૂકવાનું અને પછી જીવવાનું.  . કદાચ એવું પણ બને કે કોઈક આલિંગન ને ચુંબનો વડે એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે અને ખબર પણ ન પડે એમ ધકેલી દે એને ખીણમાં  . આવું ન બને એ માટે હું શું કરું ? પથ્થરને પણ હદપાર કરું ?  .…

  • …ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી

    તમે પણ થૈ જશો, મિત્રો! અમર ખુશ્બૂની સોબતમાં શરત એક જ કે જીવો ઉમ્રભર ખુશ્બૂની સોબતમાં  . શમી ગૈ છે બગીચાની ઉંમર ખુશ્બૂની સોબતમાં સફળ થૈ ગૈ પવનની પણ સફર ખુશ્બૂની સોબતમાં . બને કે કળીઓથી પણ ઝીણી ઝીણી પંક્તિઓ ઊઘડે… ગઝલ મારી ય ખીલતી હો અગર ખુશ્બૂની સોબતમાં  . દિવસ ઉદ્યાનમાં ઊગે ને રાત્રિ…

  • લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

    (૧) તડકાના પૂરમાં વગડો બે કાંઠે છલકાતો જાય છે ત્યારથી હું જોઉં છું કેટલી બધી તણાતી જાય છે કેસુડાની અપેક્ષાઓ…  . (૨) ઘાસના ફળિયામાં બેસીને વરસાદી કવિતા લખી રહ્યો છે વાદળ નામનો કવિ…  . (૩) કેટલીક રંગીન માછલીની વેદના મેં છાપી છે દરિયાના કોમ્પ્યુટરમાં…  . (૪) રમઝાન હો કે દિવાળી કેટલીક મસ્ત મિજાજી માછલીઓ ખરીદી-…

  • નીકળી જવું છે બ્હાર મારે – જિતેન્દ્ર પ્રજાપતિ

    નવું બીજું કશું કરવું નથી, ક્ષણનું બટન થઈને સમયના ગાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે, ઘણાય યુગથી ચાલી રહ્યા ઘડિયાળના આ એકચક્રી રાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.  . મળે ઘટના અગર વહેવા તણી તો દોસ્ત મારે ખૂબ વહેવું છે, નીકળવું છે નયનના બારણેથી આરપારે, અમે આંસુ છીએ, બસ એટલે થીજી જવાના ખોખલા…

  • લઘુકાવ્યો – રમેશ ત્રિવેદી

    (૧) ફૂલનું ખિલવું… ખરવું વચ્ચે મહેકે મહેક જીવનની  . (૨) અવની કે આકાશ ક્યાંય ન દીઠું એકે ફૂલ તોય મન મહેકે-ગહેકે સુવાસથી તરબતર !!  . (૩) રાતે ટમકતા તારા સવારે ક્યાં જતા હશે !? દાદા ? દાદા ઉવાચ : શિશુને મળવા ફૂલ બનીને !  . (૪) રોજેરોજ આથમતો રવિ તારક લિપિમાં SMS-મોકલતો હશે પ્રિય રાત્રિને…

  • એક હતું ધંગલ – કમલ વોરા

    . એક હતું ધંગલ ધંગલનો રાજા એક ત્સિંહ હતો ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય… એટલું બોલતાં બોલતાંમાં તો વૃદ્ધ હાંફી જાય છે ફરી શ્વાસ ભેગો કરી બોલે છે ધંગલના બધ્ધા પ્લાનીઓએ એક સભા કલી ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ એક સત્સલું કેય કે હું રાજાને છેતલું બધ્ધા પ્લાનીઓએ એને લોયકો પણ સત્સલું તો…

  • મીરાંબાઈ છે – મહેશ શાહ

    મોળું નહિ માપે મીરાંબાઈ છે પંથ એનો પરમ વિનાનો નહિ કાપે, મીરાંબાઈ છે.  . ડગલે ને પગલે એનો સાંવરિયો દીસે જે કંઈ કરે તે એના મોહનને મિષે: સંગ એનો શરણ વિનાનો નહિ રાખે, મીરાંબાઈ છે.  . મૂક્યું મેવાડ કર્યું વૃંદાવન વ્હાલું ગોવિંદને ગાતું એવું મંજીરું ઝાલ્યું: રંગ એનો ભગવા વિનાનો નહિ રાખે, મીરાંબાઈ છે.  .…

  • લાગણીના પૂરને – કૈલાસ અંતાણી

    લાગણીના પૂરને ખાળી શકો એમ દુર્ઘટના તમે ટાળી શકો. . છેક ઊંડે જળ સતત વહેતાં રહે, જો સપાટી શાંત સંભાળી શકો. . આમ ચાલ્યા ઊંચકી વહેતી નદી, વહેણ પાછાં કઈ રીતે વાળી શકો ?  . કંઈક અંદરથી જ ભીનાં થઈ જવું, આંખની ભીતર જરા ભાળી શકો.  . શક્ય છે કે પૂરને ખાળી શકો, પાંપણો નીચે…

  • Home