-
દોડતા દોડતા – શીતલ જોશી
દોડતા દોડતા હાંફવાનું નહીં જિંદગી જીવતા થાકવાનું નહીં . આથમે સૂર્ય માથે ચડેલો છતાં રાત પડશે એવું ધારવાનું નહીં . પ્રેમ જેવું કશું આપવું જો પડે આપવાનું, કદી માગવાનું નહીં . એક ખીલ્લી હલે છે હજી ભીંત પર ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં . એક બે વેંત ઊંચા ફરે, છો ફરે કોઈનું કદ કદી માપવાનું નહીં…
-
કરામત – દિનેશ કાનાણી
તોપખાનામાં સલામત હોય છે એ જ શાંતિની કરામત હોય છે . સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં એ જગાઓ તો અનામત હોય છે ! . પાનખર જેને કહીએ આપણે વૃક્ષની ઝીણી મરામત હોય છે . એમ લાગે છે હવે આ જીવને હર ઘડી જાણે કયામત હોય છે . છે પનારો કાવ્ય સાથે દિલ તણો દોસ્ત…
-
તો જ આવું – દિનેશ કાનાણી
છળકપટથી દૂર રાખે તો જ આવું વાતને મંજૂર રાખે તો જ આવું . પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ? આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું . આવવું છે એટલે તો હું કહું છું જીવને મજબૂર રાખે તો જ આવું . એક બે છાંટા નથી ગમતા કદીયે લાગણીનું પૂર રાખે તો જ આવું .…
-
સરનામું – તેજસ દવે
આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ સપનાનું સરનામું પૂછ્યું… . ઉંમરનો થાક હવે વરતાતો જાય અને સુઝેલા ઘાવ નહિ રુઝે શૈશવના વીતેલા દિવસોની યાદ હવે આંખો ને કેમ કરી સૂઝે ? . આંખોની આરપાર આવેલા આંસુને સહેજ અમે ટેરવાથી લૂછ્યું આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ સપનાનું સરનામું પૂછ્યું . હમણાં લગ જે દીવો અજવાળા પાથરતો આજે એ અંધારે…
-
આ જગત – ધ્વનિલ પારેખ
આ જગત એ રીતે સમજાતું રહ્યું, એટલે ભીતરથી સર્જાતું રહ્યું. . રાતભર ઓશીકું ભીંજાતું રહ્યું, રાતભર એ દ્રશ્ય ભજવાતું રહ્યું. . કોણે પેલે પાર બોલાવ્યો મને ? એ ઘડીથી મન આ બદલાતું રહ્યું. . હા, મરણની કૂંપળો ફૂટી ગઈ, ધીમે ધીમે ઝાડ ફેલાતું રહ્યું. . શત્રુ સામે હોય એવું ક્યાં લખ્યું ? ભીતરે પણ યુદ્ધ…
-
મનની ચોપાટ – તેજસ દવે
દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું દરિયાના મોજાં સંગ વહેતું છીપલાની જેમ હુંય આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું . ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે આપણીય વચે દીવાલ જાય તૂટી તો આપણેય મળવાનું થાશે. . આવજો કહીને તારા લંબાતા હાથને મારાથી દૂર કોણ લેતું ? દરિયાની રેતીમાં ચીતરેલું નામ…
-
ખાલીપો – તેજસ દવે
રાધાએ પાડેલી તરફડતી ચીસ અને વેદના તો કેમ કરી માપું શામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું . ગોકુળને ગામ તમે આવો ના શામ તો રાધાને મથુરા લઈ આવું અંધારું થાય પછી પૂનમ થઈ જાય એવો ચાંદો હું રોજ ક્યાંથી લાવું ? . ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો હું કરવતથી…
-
લઘુકાવ્યો – સુરેશ દલાલ
(૧) હું તને પ્રેમ કરું છું એની માત્ર મને ખબર છે. પણ તારી કને એકરાર કઈ રીતે કરવો એની સૂઝ હજી સુધી પડતી નથી. . (૨) રાતના જાગી જાઉં છું ત્યારે અચાનક ઓશિકાને વળગી પડું છું. તું ન હોય તો શું કરું ? છે કોઈ જવાબ તારી કને ? . (૩) ચિતાના લાકડા જેવાં દરિયાનાં…
-
લઘુકાવ્યો – સુરેશ દલાલ
(૧) મારી બારીના આંધળા કાચ પર રાતે કોનો પડછાયો આવ-જા કરે છે ? . (૨) કાગડાને ભલે મોરના પીંછા પહેરાવો પણ એ કેકારવ નહીં કરી શકે. . (૩) એકલી એકલી મીણબત્તી બળતી રહી… અજવાળું પાથર્યાનો આનંદ લૂંટવાને બદલે બળતરાની વ્યથા ઘૂંટતી રહી… . (૩) કોઈ દારૂડિયાએ નશામાં કહેલી રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી. એના…
-
આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ
‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે. . પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે…
-
Home