-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) ઔદાર્ય, ઉદારતા એ તો ઊંડાણે, વધુ ઊંડાણે અડીંગો જમાવી દેવાનો ઓચ્છવ ! પ્રશંસા અને પ્રચારની કુંપળ ન ફૂટે એવા સાવ પ્રછન્ન રહી હૃદયે કોળતા અને વધતા વડલાનું નામ ઉદારતા. કર્તાભાવનું સાક્ષીભાવે અવતરણ એજ ઔદાર્ય ! તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે ! (૨) સ્વ-ઓળખ, નિજધામને ઓરડે, આનંદ સમૃદ્ધિની પૂજા એ જ સ્વ ઓળખ, આળસ…
-
મને સપનું આવ્યું – સુરેશ દલાલ
મને સપનું આવ્યું કે હું જંગલમાં રઝળપાટ કરું છું. સમયની પારના કોઈક સમયમાં હું ફરી રહ્યો છું: અડીખમ વૃક્ષ : લીલાંછમ પાંદડાં, સોનેરી ફૂલ. આંખને પાગલ કરીને ઘાયલ કરી મૂકે એવું કોઈ શાશ્વત સૌંદર્ય. કોઈક પશુ મારી નિકટ આવે છે : હું ભયથી થથરું છું; એ મને નિર્ભય થઈ જવાની વાત કરે છે. હું ભયને…
-
વૈરાગ્ય – પ્રીતમ લખલાણી
ઓફિસે જવાની ચિંતામાં ઉતાવળે બાલ્કનીમાં ઊભા તમે બ્રશ કરતા હો ને રણકતી ફોનની ઘંટડી સમાચાર આપે કે પરોઢે સૂર્ય ઊગવાના કોડ જોતી મારી આંખ સદા માટે બિડાઈ ગઈ. હે દોસ્તો ! તમારા ભરચક કાર્યક્રમમાંથી થોડોક સમય કાઢી મારા શબને વીજળીને બદલે લાકડાની ચિતામાં બાળજો. સ્મશાનને બાંકડે બીડી ફૂંકતા તમે બે ઘડી વિચારી શકો કે માણસે…
-
કવિતામાં કશુંક – સુરેશ દલાલ
કવિતામાં કશુંક ન સમજાય એવું હોવું જોઈએ -માણસની જેમ. બધું જ સમજાઈ જાય છે પછી કોઈ રહસ્ય નથી રહેતું. . કિનારો અને સમુદ્ર હંમેશાં એકમેકની સંગતમાં હોય છે છતાં પણ સમુદ્રના પ્રત્યેક મોજાને સમજવાનો દાવો ખુદ સમુદ્ર પણ ન કરી શકે તો પછી બાપડા કિનારાની તો વાત જ શી ? કિનારો પણ એવી પાળ બાંધીને…
-
મા એટલે…(છઠ્ઠી માસિક શ્રદ્ધાંજલિ)
ओ माँ . बचपन में तुमने ही कहा था अच्छे लोग गुजर जाने पर तारा बन जाते हैं… अपने सारे अतीत को पीछे छोड कर आज तुम खुद तारा बन गई हो…! अतीत की यादों के झरोखों में तुम्हारी गायी…. लोरी आज भी दुनिया के दिये जख्मों पर पूस की ठंडी बयार की फूँक सी…
-
તું અને હું – મધુમતી મહેતા
શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું. તેજની તનહાઈમાંથી નીકળ્યાં છે તું અને હું. . કંટકોનાં રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ, ફૂલની રુસવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું. . વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં, વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું. . ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે, પ્રેમની પરછાંઈમાંથી નીકળ્યાં…
-
આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ
મિત્રો, આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? કથા તંતુ ‘સાવિત્રી’ની સમગ્ર કથા મહાભારતના આરણ્યક પર્વમાં ૨૪૮ અધ્યાયથી શરૂ થાય છે. . સંતાન વિહોણો રાજવી અશ્વપતિ અઢાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાને અંતે ભગવતી સાવિત્રી દેવી પ્રસન્ન થઈ વરદાન આપે છે કે તેને ત્યાં અદ્વિતિય પુત્રી થશે. સાવિત્રી દેવીના વરદાનથી પ્રાપ્ત થયેલી પુત્રીનું નામ…
-
વાણી પછીનું મૌન – સુરેશ દલાલ
વાણી પછીનું મૌન મને ડાળી પરના ગુલાબ જેટલું સુંદર લાગ્યું. . પથ્થરમાંથી પ્રકટતું ઝરણ મને વૈશાખી મોગરા જેટલું મ્હેકતું લાગ્યું. . તારા સાન્નિધ્યને કારણે જ કાદચ, આ બધું સુંદર લાગતું હશે. . તારા સાન્નિધ્યમાં મને એમ થયા કરે છે કે હું વૃક્ષ થઈને ઊગી શકું છું પંખી થઈને ઊડી શકું છું સાંજની શીતળ હવા થઈને…
-
સાંજને સમયે – સુરેશ દલાલ
હું સાંજને સમયે મારા જ ઘૂઘવતા દરિયાની પાસે મારા જ અડીખમ ખડક પર બેસીને આંખ મીંચીને પ્રાર્થના કરું છું, બંધ આંખે શોધું છું મારો પોતાનો પરમેશ્વર. મારે બુદ્ધને બાળી નાખવા છે મારે કૃષ્ણને કાળી યમુનાની અંદર કાયમને માટે પધરાવી દેવા છે. મને ઉછીના ઈશ્વર જોઈતા નથી બંધ આંખે જ્યારે મને મારો ઈશ્વર મળશે ત્યારે જ…
-
આજ સુધી – અજ્ઞાત
આજ સુધી, લોકો મને મળવા આવે ત્યારે હું કહેતી : જુઓ, મારું ઘર કેટલું સુંદર છે ! ઘરમાં મેં સંગ્રહેલી વસ્તુઓ કેટલી કલાત્મક છે ! મારાં બાળકો કેવાં હોશિયાર ને તેજસ્વી છે ! . મારાં કાર્યોમાં મેં કેટલી બધી સિદ્ધિ મેળવી છે ! લોકોમાં મારી કેટલી પ્રશંસા થાય છે ! સીધી કે આડકતરી રીતે આ…
-
Home