जिन्दगी तुने लहू लेके-राजेश रेड्डी

जिन्दगी तुने लहू लेके दिया कुछ भी नहीं

तेरे दामन में मेरे वास्ते क्या कुछ भी नहीं

आप ईन हाथों की चाहें तो तलाशी ले लें

मेरे हाथों में लकीरों के सिवा कुछ भी नहीं

हमने देखा है कई ऎसे खुदाओं को यहॉ

सामने जिनके वो सचमुच का खुदा कुछ भी नहीं

ये अलग बात है वो रास न आया खुदको

उस भले श्ख्स में वैसे तो बुरा कुछ भी नहीं

बातें फैली हैं मेरे नाम से जाने क्या-क्या

जब कि सच ये है कि मैंने तो कहा कुछ भी नहीं

ऎ खुदा! अबके ये किस रंग में आई है बहार

जर्द ही जर्द है पेडों पे हरा कुछ भी नहीं

दिल भी ईक बच्चे की मानिंद अडा है जिद पर

या तो सब कुछ ही ईसे चाहिये या कुछ भी नहीं

( राजेश रेड्डी )

रिश्ते बस रिश्ते होते हैं-गुलजार

रिश्ते   बस  रिश्ते होते  है

कुछ    ईक  पल के

कुछ दो पल के

कुछ परों से हलके  होते हैं

बरसों के तले चलते-चलते

भारी-भरकम हो जाते हैं

कुछ भारी-भरकम बर्फ के-से

बरसों के तले गलते-गलते

हलके-फुलके हो जाते हैं

नाम होते हैं रिश्तों के

कुछ रिश्ते नाम के होते हैं

रिश्ता वह अगर मर जाऍ भी

बस नाम से जीना होता है

बस नाम से जीना  होता है

रिश्ते बस रिश्ते होते हैं

( गुलजार )

આવ્યો અગમનિગમથી સાદ..-કૈલાસ અંતાણી

આવ્યો અગમનિગમથી સાદ કે ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

કરો સાબદા ઊંટો, અશ્વ પલાણો

ભવરણ  કરવું  પાર  કે  ચાલો વાર ન કરશો.

ઊપડો  અંતરિયાળ  કે  ચાલો વાર ન કરશો.

છોડી નાંખો લંગર શઢ સંકોરો

સંકેલી  લો  જાળ કે  ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

તોડી તાણાવાણા ગાંઠ ઉકેલો

છોડો  સહુ  જંજાળ કે ચાલો વાર ન કરશો

ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો.

 

( કૈલાસ અંતાણી )

 

કૈલાસબેન અંજારની નગર પ્રાથમિક શાળા નં. ૧ માં શિક્ષિકા હતા. સંગીત, વાચન, પ્રવાસ, ઈતર કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ તેમને ઘણો શોખ હતો. આકાશવાણી ભુજના માન્ય કવિ હતા. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ કચ્છમાં ભૂકંપ થયો ત્યારે એમની શાળાના બાળકો સાથે રેલીમાં ભાગ લેવા ગયા હતા. શાળા અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં બજાવતાં તેઓ પ્રલયકારી ભૂકંપનો ભોગ બન્યા હતા.

એમની સાથે મારો સંપર્ક બહુ ઓછો સમય માટે થયો હતો. પણ એ સમયગાળા દરમ્યાન મને એમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. એમના અવસાન પછી એમના સ્વજનોએ પ્રકાશિત કરેલ કાવ્યસંગ્રહ શગ દીવાની કમ્પેમાંથી આ કાવ્ય મારા બ્લોગ પર પોસ્ટ કરીને હું તેમને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પું છું.

 

દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી

મારે દુનિયા જેને સુખ કહે છે

એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી.

મને ખબર છે કે રતિક્રીડા

એ ચામડીનું સુખ છે.

સૌન્દર્ય એ આંખનું સુખ છે.

સ્વાદ એ જીભનું સુખ છે.

પ્રશંસા એ કાનનું સુખ છે.

વાહન એ પગનું સુખ છે.

સત્તા એ અહંકારનું સુખ છે.

અને સુગંધ એ નાકનું સુખ છે.

એ બધાં સુખોના ટોળામાં

હું મારું સુખ ગોતવા જાઉં છું

એ બધાં રમકડાં જેવાં સુખો જોઈને

હું ભોળવાઈ જાઉં એટલો

હવે શિશુ રહ્યો નથી.

( અનિલ જોશી )

અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી

અહમની  સરહદોમાંથી  નીકળવું ખૂબ અઘરું છે

અને  સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

કોઈ  મહેણું  નહીં  મારે કે મેં કોશિશ નથી કીધી

હું  જાણું  છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે

હું  જઈ  એકાંતમાં  બેઠો  છતાંયે  ફેર ન  પડ્યો

જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

ખુદાનું  નામ લઈ આગળ વધો કેડી મરણની છે

જીવન  પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે

ફરી દુર્ઘટના જેવો રાઝ આ મારો દિવસ ઉગ્યો

સૂરજની  જેમ  ધીમે  ધીમે ઢળવું ખૂબ અઘરું છે

 

 

( રાઝ નવસારવી )

વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ

                ડોટકોમ વ્રુંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે

                કે કયા કયા નામ એમાં રાખું? 

ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ

                તો રાધા રીસાય એનું શું? 

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ

                ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? 

પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી

                કે કોને છોડું ને કોને ચાખું?

ગીતાજી ડોટકોમ એટલું ઉકેલવામાં

                ઉકલી ગઈ પંડિતની જાત

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે

                ને એજ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સૂર, નરસૈંયો

                થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખુ ઝાંખુ.

એ જ ફ્કત પાસવર્ડ મોકલી શકે છે

                જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ

એને શું વાયરસ ભૂંસી શકવાના

                જેને ચીર પૂરી આપે ઘનશ્યામ

ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે

                હું કોઈ દિવસ વિન્ડો ન વાખું.

 

( કૃષ્ણ દવે )

એ જ આવશે-ચંદ્રકાંત શેઠ

એનો ફોન!

એનો અવાજ!

આખો મારો વાસ

-મારો અસબાબ અધ્ધર પગે!

આંગણાંએ ખોલી દીધા દરવાજા!

ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર…

બારીઓ ય ખુલ્લી ફટાક…

ગોખે ગોખે આંખ…

શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી…

સ્વચ્છ રાત્રિ!

નરી છલોછલ ચાંદની!!

ચાંદ તો પછી દૂર ન હોય…

હોય આટલામાં જ-નજીકમાં…

મેં ચિત્તને કહ્યું: ચકોર થા

પણ એણે તો

ઘરની ઊંચી અટારીએ ચડી

કરવા માંડ્યું છે કા…કા…

એ જ આવશે,

એ જ!!

 

( ચંદ્રકાંત શેઠ )

આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ

તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી-

હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત

ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં  ભાર  છે  મિત્રોના  મૌનનો

હું  શું  કહી  ગયો છું મને ખ્યાલ પણ નથી

 

 

( હરીન્દ્ર દવે )

વરસાદ તે દિવસે…-હિના પારેખ

વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે મુશળધાર શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું તોયે ક્યાંક ને ક્યાંકથી તો વરસાદ મને ભીંજવી જ રહ્યો હતો. મેં ચાલવામાં ઝડપ વધારી. ત્યાં મને કોઈનો સાદ સંભળાયો……

ઓ બહેન, જરા ઉભા રહો તો. તમે કયાં સુધી જઈ રહ્યા છો?” 

મેં કહ્યું, બેંક સુધી.

મને થોડે સુધી તમારી છત્રીમાં લઈ જશો?”  મને બૂમ પાડનાર બહેને પ્રશ્ન કર્યો.

મેં તેમને હા પાડી. હું પહેલાં કરતાં વધારે ભીંજાઈ ગઈ. કારણ કે એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. પોતાની મંઝિલ આવી જતાં એ બહેન મારા પ્રત્યે આભાર વ્યક્ત કરી મારાથી છૂટા પડ્યા. હું ઘણી ભીંજાઈ હતી. છતાં એક અજાણ્યા પથિક સાથે મારી છત્રી વહેંચવાનો મને આનંદ હતો. આટલા બધા વરસાદમાં કોઈ આ રીતે મારી છત્રીમાં કોઈને ભાગ પડાવતાં જુએ તો મને મુર્ખ જ સમજે. છતાં મને તેમ કરવાનું ગમ્યું. કારણ કે આમ કરવાથી મારા હ્રદયને સંતોષ થતો હતો.

કોઈ બળબળતી બપોરે આપણે આપણા સ્કુટર પર જઈ રહ્યા હોઈએ, સ્કુટરની પાછળની સીટ ખાલી હોય અને રસ્તામાં ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને ઉભેલા માણસને જોઈને તેને લીફ્ટ આપવાનું મન થાય છે ખરું?

 

ધોધમાર વરસાદમાં આપણે ઘરમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસ્કીઓ લેતાં હોઈએ ત્યારે વરસાદમાં આશરો મેળવવા આપણા ઘરનાં બારણે આવેલા કોઈ અજાણ્યા રાહીને ઘરમાં બોલાવીને તેને ચા પીવડાવવાનું મન થાય છે ખરું? 

કોઈ સ્વજનને મળવા આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે બાજુના પલંગ પર સૂતેલો કોઈ એકલો અટૂલો દર્દી આપણને તેની દવા લાવી આપવા માટે કહે ત્યારે તેને મદદ કરવાનું મન આપણને થાય છે ખરું? 

બહુ અગત્યના કામે આપણે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને ત્યારે રસ્તામાં વાહનની અડફેટે ઘાયલ થઈને તરફડતા કોઈ પ્રાણીને જોઈને આપણને મોડું થતું હોવા છતાં એક ફોન કરીને તે પ્રાણી વિશે એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવાનું મન થાય છે ખરું? 

ઈષ્ટદેવના દર્શન માટે મંદિરનાં ઉંચા ઉંચા પગથિયા ચડતી વખતે કોઈ વ્રુધ્ધ કે કોઈ અપંગને પગથિયા ચડવામાં તકલીફ અનુભવતાં જોઈને આપણને તેનો હાથ પકડીને પગથિયા ચડાવવાનું મન થાય છે ખરું? 

આપણા જન્મદિવસે મિત્રો-સ્વજનો માટે રાખેલી પાર્ટી માટે બજારમાંથી કેક લઈને આવતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈ ઝૂંપડપટ્ટી આવે તો તે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોમાં કેક વહેચવાનું મન થાય છે ખરું? 

ટ્રેનની અસહ્ય ભીડમાં માંડ માંડ બેસવાની જગ્યા મળી હોય ને આગલા સ્ટેશન પર કોઈ સ્ત્રી નાનું બાળક લઈને ચડે તો તેને પોતાની જગ્યા આપી દેવાનું મન થાય છે ખરું? 

 

……..આવી નાની નાની ઘણી ઘટનાઓ છે જે આપણે કરી શકીએ છીએ પણ મોટેભાગે આપણે તેવું કરતાં નથી. દરેક વખતે આપણી પાસે એક જ જવાબ હોય છે-મને સમય નથી….I have no time”. જિંદગીને જીવી લેવાની ઉતાવળમાં સવારથી ઉઠીને રાત્રે પથારી ભેગાં થઈએ ત્યાં સુધી આપણે આમતેમ દોડતાં જ રહીએ છીએ. અને તેમાં જ થાકી જઈએ છીએ. કારણ કે જિંદગીને જીવી નાંખવાની ઉતાવળમાં આપણે જિંદગીને માણવાનું ભૂલી ગયા છીએ. હું કંઈક મેળવીશ તો સુખી થઈશ-એવી ભ્રામક માન્યતા આપણા મનમાં દ્રઢ કરી ગઈ છે. તેથી કંઈકને કંઈક પ્રાપ્ત કરતા રહેવાની લાલસામાં કેવી રીતે જીવવું તે જ ભૂલી ગયા છીએ.

 

ગમે તે કિંમતે, ગમે તે ભોગે આપણે આપણી ઈચ્છા મુજબનું મેળવી તો લઈએ છીએ પણ તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. તેથી સુખ કંઈ બીજામાં હશે તેમ માનીને ફરી તે મેળવવા મંડી પડીએ છીએ. આ ચક્ર અવિરત આલ્યા જ કરે છે. પણ આપણા હ્રદયને આનંદ મળતો નથી, સંતોષ અનુભવાતો નથી, જીવનમાં ક્યાંય પ્રસન્નતા નથી. 

મોટા મોટા લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આપણે લગભગ લાગણીહીન, નિષ્ઠુર, અમાનુષ બની ગયા છીએ. કેટલીયે નાની નાની વાતો એવી છે જે આપણને આનંદ આપવા માટે સક્ષમ છે પરંતુ તેના તરફ કદી આપણું ધ્યાન જતું જ નથી. આવા સમયે જીવનની ગતિ થોડી ધીમી કરીને આપણી આજુબાજુ ઘટતી નાની નાની બાબતોને બારીકાઈથી જોવાની, તેને સમજવાની અને તેને માણવાની જરૂર છે. જો આપણે એક-બે કદમ પણ સાચી દિશામાં ચાલવા પ્રયત્ન કરીશું તો એવી ઘણી ક્ષણો મળી આવશે જે આપણને પૂર્ણ આનંદથી ભેટી પડવા તૈયાર હશે. આનંદ કે સુખ વિશાળ પ્રમાણમાં ક્યારેય કોઈને મળતું નથી. તે નાની નાની ઘટનાઓ દ્વારા જ મેળવીને એકત્રિત કરવાનું હોય છે. અને તે મેળવ્યા પછી તેને અન્યમાં વહેંચવાનું હોય છે. સુખ, આનંદ, પ્રસન્નતા, હાસ્ય વહેંચવાથી ઘટતું નથીઅનેકગણું વધે છે.

 

કવયિત્રી Emily Dickinson નું એક કાવ્ય મને બહુ પ્રિય છે… 

If I can stop one heart from breaking,

I shall not live in vain,

If I can ease one life from aching,

Or cool one fainting robin

Unto his nest again,

I shall not live in vain.

જો હું કોઈના હ્રદયને ભાંગી પડતું અટકાવી શકું,

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

જો હું કોઈ માણસની પીડાનું શમન કરી શકું,

એકાદ જખ્મને રુઝવી શકું..

અથવા ઠંડીથી મૂર્છીત થયેલા રોબિન પંખીને

તેના માળામાં પાછું મૂકી શકું

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

હિના પારેખ મનમૌજી

જૂન ૭, ૨૦૦૩.

Copyright©HeenaParekh