ચિરએકલપણાના પ્રવાસી

ન એકેય બારી કદી પણ ન વાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉદાસી ફૂલોની મહેંક બારમાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ સાથે થતી મોજ ખાસ્સી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી હવેલી અમે એમાં દાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉજાણીમાં કેવળ અમે ને ઉદાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અગોચર સફર ને અદીઠો ખલાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ ભીતરના કાયમ નિવાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

દત્તાત્રય ભટ્ટ

6 thoughts on “ચિરએકલપણાના પ્રવાસી

Leave a reply to Paru Krishnakant Cancel reply