આજે આખો દિવસ
બહાર ફરતો રહ્યો,
છતાં કોઈ દુર્ઘટના ના ઘટી.
આજે આખો દિવસ
લોકોને મળતો રહ્યો,
છતાં ક્યાંય
અપમાનિત ન થયો.
આજે આખો દિવસ
સાચું બોલતો રહ્યો,
છતાં કોઈને
ખરાબ ન લાગ્યું.
આજે બધા પર
વિશ્વાસ મૂક્યો,
છતાંય ક્યાંય
ન છેતરાયો,
અને સૌથી મોટો
ચમત્કાર તો એ
કે ઘરે પાછા આવીને મેં
કોઈ બીજાને નહીં,
પોતાને જ પાછો આવેલો જોયો.
.
( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : હિના એન. સોની )
સરસ, ખરેખર અનોખી ક્રુતિ…….
હેમન્ત વૈદ્ય
સરસ, ખરેખર અનોખી ક્રુતિ…….
હેમન્ત વૈદ્ય