વાયરો વસંતનો – ઉશનસ

આઘેથી અનંતથી આયો

કે કાનજી વાયરો વસંતનો;

વનરા તે વનમાં વાયો

કે કાનજી વાયરો વસંતનો.

..

લહરલહરીથી ગઈ ડાળીયે ઝૂકી,

કોકે વળી હૈયે ગડી વાળીયે મૂકી.

એક રાધીએ કીધ કાન-ફાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

જે વેદમાં ન માયો, ભેદ કોઈએ ન પાયો;

ઝંઝાશો આવ્યો તોયે જસદાનો જાયો,

એક રાધાના શ્વાસમાં સમાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

કેટલુંક વેઠે વીંધી વનરાની વાંસળી ?

કેટલુંક ઝીલે છેદી મુનિવરની પાંસળી ?

જેવો રાધામાં રૂં રૂં ફૂંકાયો ?

કે કાનજી વાયરો વસંતનો.

.

( ઉશનસ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.