સાહિબ સપ્તક (૫) – નીતિન વડગામા

સાહિબ, શાંત સરોવરપાણી.

સચરાચરમાં ઝિલાતી કંઈ ભીની અમરતવાણી.

 .

ભરતી-ઓટ ન આવે એમાં, ના ઊછળતાં મોજાં.

પળપળ વીતે સમથળ એને શું ઈદ કે શું રોજા ?

 .

રોમેરોમે રામરટણની કરતા રહે ઉજાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

કોરા એ કાંઠાને જળનો કાયમનો સથવારો.

હંસ ચણે છે હરખે હરખે મીઠો મોતીચારો.

 .

કાળમીંઢ પથ્થર વચ્ચેથી સતત વહે સરવાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

( નીતિન વડગામા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.