આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી

આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ

સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ

 .

એ પછી સમજી શકાશે લાગણી ને માગણી

સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ

 .

પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો-

દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ

 .

પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો

આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ

 .

એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી

મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ

 .

( છાયા ત્રિવેદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.