બે ઘડી નવરાશ – પરાજિત ડાભી
.
આમ જુઓ તો નગર આ ભીડનો સૈલાબ છે.
બેઘડી નવરાશ જાણે એક સુંદર ખ્વાબ છે.
.
માણસો પણ હાથમાં ઘોંઘાટનાં પથ્થર લઈ,
મૌનનાં આ શીશમહેલો ફોડવા બેતાબ છે.
.
કાફલાને ગુમ કરી ખુદ મંઝિલે પહોંચી ગયા,
નાખુદા થઈને ફરે છે એમને આદાબ છે.
.
ફૂલ કાગળનાં અને ખુશ્બૂ બધી અત્તર તણી,
આમ જુઓ તો ભરેલી, આમ ખાલી છાબ છે.
.
શ્વાસ છૂટે એ પછી માણસ નહીં, મડદું રહે,
જિંદગીનાં દબદબા પર મૌતનો રુઆબ છે.
.
( પરાજિત ડાભી )
પરાજિત ડાભી તેમની આ સુંદર રચનામાં ખૂબજ સરસ વાત આજના સમયને અનૂરૂપ કહે છે, આ ભીડમાંથી એકલો અટૂલો બહાર નીકળી શકે તે જ સાચું જીવન જીવી શકે છે… સુંદર રચના !
પરાજિત ડાભી તેમની આ સુંદર રચનામાં ખૂબજ સરસ વાત આજના સમયને અનૂરૂપ કહે છે, આ ભીડમાંથી એકલો અટૂલો બહાર નીકળી શકે તે જ સાચું જીવન જીવી શકે છે… સુંદર રચના !
Very Nice.
Very Nice.