ઉત્સવ – વિંદા કરંદીકર

.

આજનો દિવસ મને ઉજવવા દો !

આજે આર કે. લક્ષ્મણે લખી

આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે

કચરાના ઢગલા અહીંથી ખસેડશે

તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો !

કચરામાંથી અન્ન ઉઠાવીને

જીવંત રહેવાનો હક

આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ?

તેમ ન હોય તો

સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં

આજનો દિવસ મને ઉજવવા દો !

 .

( વિંદા કરંદીકર )

Share this

3 replies on “ઉત્સવ – વિંદા કરંદીકર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.