.
આજનો દિવસ મને ઉજવવા દો !
આજે આર કે. લક્ષ્મણે લખી
આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા
અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :
‘નગરપાલિકા સ્વચ્છતા માટે
કચરાના ઢગલા અહીંથી ખસેડશે
તો અમે ભૂખે મરીશું’
આજનો દિવસ મને ઉજવવા દો !
કચરામાંથી અન્ન ઉઠાવીને
જીવંત રહેવાનો હક
આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ?
તેમ ન હોય તો
સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ
આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ ?
આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં
આજનો દિવસ મને ઉજવવા દો !
.
( વિંદા કરંદીકર )
માર્મિક વાત સાથેની સુંદર રચના !
માર્મિક વાત સાથેની સુંદર રચના !
માર્મિક વાત સાથેની સુંદર રચના !