આઠ લઘુકાવ્યો
.
(૧)
જળપરીની વાર્તાઓ
અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં
એકલવાયું બાળક
ઊભું છે
ઝાડના ઠૂંઠાને વળગીને.
.
( જયા મહેતા )
.
(૨)
નિંદાથી
જીભ મોચવાઈ જતી હોય
અને કાન કરમાઈ જતા હોય
એવી અવસ્થા
જો ઈશ્વરે કરી હોત
તો જગત વિશેષ
જીવવા લાયક હોત.
( સુરેશ દલાલ )
(૩)
મારી ટચલી આંગળી
તરણુંય તોળી શકે તેમ નથી
ને આ જિંદગી તો
ગોવર્ધન થઈ બેઠી છે.
( વજેસિંહ પારગી )
.
(૪)
હું ગુલાબને સૂર્ય કહું
કે ચંદ્રને કમળ કહું
એથી નામની અદલાબદલીનો
આનંદ મળે છે;
પણ એનાથી કોઈની
પ્રકૃતિ બદલાતી નથી
.
( સુરેશ દલાલ)
.
(૫)
એક (યક્ષ) પ્રશ્ન
.
જે માણસને
ઉઘાડી આંખે
ખિલખિલ હસતા બાળકમાં
પ્રગટેલા ભગવાન
ન દેખાય
તે માણસને
બંધ આંખે
જડ મૂર્તિમાં
પોઢેલા ભગવાન
દેખાય ખરા ? !….
.
( ચંદ્રેશ શાહ )
.
(૬)
પ્લાસ્ટિકના ફૂલ પર
કાચનું પતંગિયું બેઠું
અને એનો ફોટો
છાપામાં છપાયો
.
( સુરેશ દલાલ )
.
(૭)
પતંગિયું
ઊડે છે ત્યારે
હવા પર
પોતાની સહી નથી કરતું
.
( સુરેશ દલાલ )
.
(૮)
જળના સ્પર્શે
પથ્થરે ચીસ પાડી:
આટલી બધી નજાકત
જીરવાતી નથી
.
( સુરેશ દલાલ )
દરેકે દરેક લઘુકાવ્ય અતિ ઉત્તમ…બહુ જ ગમ્યા બધા. ખાસ કરી ને ૩ નંબર નું.
દરેકે દરેક લઘુકાવ્ય અતિ ઉત્તમ…બહુ જ ગમ્યા બધા. ખાસ કરી ને ૩ નંબર નું.
સુંદર સંકલન…
સુંદર સંકલન…
હિનાબેન,
સુંદર સંકલન કરેલ છે, જેમાં પણ પાંચમી રચના નો યક્ષ પ્રશ્ન વધુ પસંદ આવ્યો …
હિનાબેન,
સુંદર સંકલન કરેલ છે, જેમાં પણ પાંચમી રચના નો યક્ષ પ્રશ્ન વધુ પસંદ આવ્યો …