કોને ખબર – પરાજિત ડાભી

.

ટાઢ, તડકા, સૂર્યનું કારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર,

આંખમાં જે સ્વપ્નનું ભારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

શબ્દ સઘળા સોળ આની આ ગઝલમાં અવતરેલા તે છતાં,

દર્દનું અકસીર મારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

સાંજ ઢળવા નીડમાં પાછા ફરી શકતા નથી એ ખગ વિશે,

વૃક્ષ સાથે એક જે સગપણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

ઝાંઝવાનાં અર્થની પોઠો બધી રઝળ્યા કરે ગઝલો મહીં,

ધોમધખતું શબ્દનું જે રણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

આજ ઓળખ એટલે તો કોઈને પણ કોઈની મળતી નથી,

કાલ સૌની આંખમાં દર્પણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

.

( પરાજિત ડાભી )

Share this

2 replies on “કોને ખબર – પરાજિત ડાભી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.