.
આપણે નહીં કરેલા ગુન્હાઓની શિક્ષા
આપણને જ શા માટે થાય છે ?
વસંત બેસે છે તોય
આપણને તો ઉઝરડા જ મળે છે
મૉલ બનેલાં આપણાં ખેતરોમાં પછી
આપણે ઉગાડી શકતા નથી મનગમતાં શમણાં
આંગણાના ઝાડની ડાળે-માળે
બેસીને આપણે ગાઈ શકતા નથી લીલાશને
ખાઈ શકતા નથી હક્કનો રોટલોય નિરાંતે !
.
જે હાથે બાંધ્યા મોલ ને ચણ્યા મિનારા
એ તો પામ્યા છે ગામવટો-ઘરવટો
આપણે તો હતા પતંગિયાં રમાડતી
કેસીઓના જીવ
સડકોની સુંવાળી સોબત સૉળ બની ગઈ
આપણ તો ‘વળતાં પાણી’ના વારસદાર છીએ
નિ:સહાય દેખવું ને દાઝ્યા પર દાઝવું
એ જ આપણી નિયતિ !
.
તો ય ક્યારેક પુછાઈ જાય છે –
કોના ગુન્હાઓની શિક્ષા થાય છે આપણને
કિયો ઘાંચી
અવળી ઘાણીએ પૂરીને તેલ કાઢે છે આપણું ?
આપણું હોવું તો કાયમનું
ધગધગતું તાપણું…
.
( મણિલાલ હ. પટેલ )
સુંદર રચના !
સુંદર રચના !
waah super cool perfectly suits me naa…!!!
waah super cool perfectly suits me naa…!!!