પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી
.
તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,
સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.
.
એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,
મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?
.
દિવસ ને રાત તારા અરીસા બની ગયા,
એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.
.
સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,
દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?
.
બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,
પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.
.
( ‘રાઝ’ નવસારવી )
બહુ જ સરસ
બહુ જ સરસ