
.

.
સંતોષાલય
મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં આવ્યું.
.

.

.
.
.
દેહલી
નવા ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘર છે એનું નામ દેહલી. ૧૯૦૯માં એને બનાવવામાં આવ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ કવિ એકલા ઘણાં દિવસો સુધી આ ઘરમાં રહ્યા હતા. અહીં તેમણે અનેક કાવ્યો અને નવલકથાઓની રચનાકરી. વર્તમાનમાં દેહલીમાં ‘મૃણાલિની આનન્દ પાઠશાળા’ નામે બાળકો માટે વિદ્યાલય ચલાવવામાં આવે છે. કવિપત્નીના સ્મરણમાં ૧૯૬૧માં આ શિશુ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.
.

.

.

.
તીન પહાડ
શાંતિનિકેતનના મંદિરની પાસે પૂર્વ દિશામાં એક ઉંચો માટીનો ઢગલો છે જેનું નામ છે ‘તીન પહાડ.’ આ એક નાનકડા પહાડ જેવું છે. જેના ઉપર વિશાળ વડનું વૃક્ષ છે. પહેલા એની સામે એક પાણી વગરનું તળાવ હતું. મહર્ષિ દેવેન્દ્રનાથે શાંતિનિકેતન માટે પાણીની સમસ્યા દૂર કરવા આ તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ એમાં પાણીનો સંગ્રહ થયો નહીં. તળાવ ખોદતી વખતે જે માટી નીકળી હતી તેનાથી ત્રણ માટીના ઢગલા બન્યા. આ કારણથી જ આ જગ્યાનું નામ તીન પહાડ પડ્યું. બાદમાં બે ઢગલાનો નાશ થયા પછી પણ આ જગ્યાનું નામ તીન પહાડ જ રહ્યું. દેવેન્દ્રનાથ તીન પહાડ પાસે ઉભા રહીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા અને અહીં જ ધ્યાનમગ્ન થતા હતા. શિશુ રવીન્દ્રનાથ અહીં એકલા ફર્યા કરતા હતા.
.

.

.
તાલધ્વજ
ઉપાસના મંદિરની પાસે શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે ‘તાલધ્વજ’ આવેલું છે. તાડના વૃક્ષની આજુબાજુ ગોળાકાર કરીને માટીથી આ ઘર બનાવવામાં આવ્યું છે. આશ્રમના શરૂઆતના સમયના શિક્ષક તેજસચંદ્ર સેન અહીં વસવાટ કરતા હતા. રવીન્દ્રનાથે ‘વનવાની’ કાવ્ય તેજસચંદ્ર માટે લખ્યું હતું જેમાં તેમને ‘કુટીરવાસી’ કહીને સંબોધ્યા હતા. વર્તમાન સમયમાં અહીં આશ્રમની મહિલાઓની કાર્યચર્ચાનું કેંદ્ર છે.
ક્રમશ:
શાંતિનિકેતન ચિત્રકથા -૨ માહિતીસભર અને સુંદર ફોટોગ્રાફ્સ સાથેની રહી. ધન્યવાદ !
શાંતિનિકેતન ચિત્રકથા -૨ માહિતીસભર અને સુંદર ફોટોગ્રાફ્સ સાથેની રહી. ધન્યવાદ !
મૃણાલીની આનંદ પાઠશાળા , is just awesome !
મૃણાલીની આનંદ પાઠશાળા , is just awesome !