કેમ હું આટલી બધી શોકગ્રસ્ત, આંસુઓથી ભરેલી છું ?
આ છેલ્લાં થોડાં વર્ષોમાં મને ઉદાસી જ ઉદાસી પ્રાપ્ત થઈ
હવે ચોક્કસ એ પૂરું થયું છે ને ભૂતકાળ બની ચૂક્યું છે.
પણ મારી ભીતર શોકનો દરિયો છે.
મારી સ્મૃતિ નીચેના ખૂબ ઊંડાણેથી ઊભરાતા
સદીઓથી ભેગાં થયેલાં આંસુઓના ભારથી મને દબાવી દેતા
શોકને પહોંચી વળવું મારે માટે મુશ્કેલ છે.
મદદ વગર
હું સમગ્ર વિશ્વનાં આંસુઓમાં તણાઈ જઈશ.
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )