વાવાઝોડાના વિનાશ વેરતા, કડાકાભડાકામાંથી,
કેન્દ્રમાં રહેલા ઝંઝાવાત મારા આત્મા પર આઘાત કરે છે,
પછડાટની ભેખડ અને હું પડી ગઈ છું, ભયત્રસ્ત, પૂરેપૂરી,
આશ્વાસન આપનાર, ક્યાં છે તારું આશ્વાસન ?
ઓ, હું કોણ છું, આગ ને આંસુઓમાંથી,
ભયાનક આકાશ અને મોતમાંથી
મારા પ્રેમના ઝંઝાવતમાંથી માર્ગ કાઢતી ?
હું કોણ છું, કે મને અત્યંત દુ:ખ અને મૃત્યુ-ખોટથી
નરમ પાડવામાં આવે છે
અને મારા ગરીબડા હૃદયને દિલાસો આપવા
હું કવિતા લખું છું ?
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )