શોક – માર્જોરી પાઈઝર

જીવનમાં ગુમાવેલા પ્રિયજનો, હું શોક કરું છું,

મૈત્રી નિષ્ફળ ગઈ,

મૈત્રીનો અંત આવ્યો,

પિતા અને ભાઈઓ અને માતા,

પહોંચ બહારના, અસ્પૃષ્ટ.

હું મારા પ્રિયતમના મૃત્યુનો શોક કરું છું,

ઇચ્છ્યો નહોતો એવો અંત,

ક્ષણવારમાં તો માણસ સ્મૃતિ બની જાય.

મૃત્યુ પામેલાંઓ અને ગુમાવેલાંઓ માટે

મારું હૃદય કેવું વ્યથિત થાય છે

અને મારી નિકટ છે એમનામાં સમાવા માટે

મારું હૃદય કેવું બહાર ઝૂકે છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

Leave a comment