પીછેહઠ – માર્જોરી પાઈઝર

મારો આત્મા કેમ વારંવાર

ધકેલે છે પોતાને હતાશાની ઊંડી ગર્તામાં ?

પછી મારી દુ:ખી અવસ્થા બદલ

હું ફક્ત રડી શકું છું અને

એકલી રહેવા ઇચ્છું છું.

પછી મારા કોચલામાં ભરાઈ જાઉં છું

અને મારે કાંઈ કહેવાનું નથી.

અને છતાં બહાર બધું સહીસલામત,

સૂર્ય પ્રકાશે છે, બાળકો રમે છે,

અને હું એકલી જ બેતાલ.

આવ, આવ, મારા હૃદય, હિંમત રાખ,

વ્યથાનો સામનો જલદી કર

અને ફરી પાછું જીવન પાસે જા.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

Leave a comment