Skip links

વ્યથામુક્તિ – માર્જોરી પાઈઝર

.

મારી જિંદગી ખંડિયેર છે, નિષ્ફળતા છે, એમ અનુભવતી,

આસપાસની બધી બાબતોથી અળગી

હું ઉદાસીનતાથી એકલવાયી બેઠી.

સાવ ભાંગી પડેલી હું

ભીતરથી ખાલીખમ હતી.

જીવન કે મૃત્યુ માટે હવે

જરાયે દરકાર નહોતી.

મારાં સંતાપ અને ઉદાસીનતામાં

હું એકલી હતી

પણ ઉદાસ થઈને હું જમીન પર બેઠી,

ત્યાં તો સૂર્યે મારી તરફ હાથ લંબાવ્યો

ને મારા મોઢાને સ્પર્શ કર્યો

એટલે મારી વ્યથામુક્તિનો આરંભ થયો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

Leave a comment