ભય છવાઈ જય ત્યારે હિંમત એકઠી કરો;
અસીમ બોજો હોય ત્યારે એ પૂરી પડાય છે,
પૂરતી અને જોઈએ એ કરતાં વધારે બધા માટે
કટોકટીના સમયે, ભયાનક ખોટના સમયે
હિંમત એકઠી કરવાનું ન ભૂલો-
અગાધ ગર્તામાં એ જીવનદોરી છે.
જ્યારે બીજું બધું જ નિષ્ફળ જાય,
ત્યારે પોતાને મદદ કરવા હિંમત ભેગી કરો.
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )