કેવાં તોફાની પાણીમાં હું તરી રહી છું
છેલ્લા કેટલાક મહિનાઓથી !
હું જાણતી નથી કે કિનારે પહોંચીશ
કે વચ્ચે જ ડૂબી જઈશ.
હૃદય અને આત્માના કેવા ઝંઝાવાત મેં સહ્યા છે,
ફંગોળાઈ છું અહીં-ત્યાં;
કેટલીયે વાર હતાશામાં,
આ બધી વ્યથા ને આંધીને કારણે
મેં બધી જ આશા છોડી દીધી હતી
અને છતાં, ભાંગી પડેલી ને થાકેલી,
અનિશ્ચિત, હલી ઊઠેલી પણ હજીયે આખેઆખી,
હું લંગડાતી લંગડાતી, આશ્રય ને મરમ્મત માટે
બંદર તરફ જાઉં છું.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )